નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 9,765 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3 કરોડ 46 લાખ 06 હજાર 541 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 477 લોકોના મોત પણ થયા છે.
દેશમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં કુલ 4 લાખ 69 હજાર 724 લોકોના મોત થયા છે. નવા કેસ ગઈકાલના આંકડા કરતા લગભગ 9 ટકા વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 99,763 નોંધાઈ છે. સક્રિય કેસ કુલ ચેપના એક ટકા કરતા ઓછા છે. હાલમાં, તે 0.29 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી નીચો છે.
હાલમાં, દેશમાં રિકવરી રેટ 98.35 ટકા નોંધાયો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 8,548 દર્દીઓ કોવિડમાંથી સ્વસ્થ થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 40 લાખ 37 હજાર 054 લોકોએ આ મહામારીને માત આપી છે.