Covid-19 Cases In India “ભારતમાં ફરી કોરોના કાળ: કેસોમાં વધારો, સાવચેતી હવે ફરજિયાત”
Covid-19 Cases In India ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસો ઝડપથી વધી રહ્યા છે. ૩૧ મે ૨૦૨૫ સુધીમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા ૩,૩૯૫ સુધી પહોંચી ગઈ છે, જ્યારે ૨૨ મેના રોજ આ આંકડો માત્ર ૨૫૭ હતો. આથી આરોગ્ય તંત્ર અને રાજ્ય સરકારો ફરી એલર્ટ પર આવી ગઈ છે અને લોકોને જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરી રહી છે.
કેરળ અને મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત
તાજેતરના આંકડા મુજબ કેરળમાં સૌથી વધુ ૧,૧૪૭ સક્રિય કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં ૪૬૭ કેસ સાથે બીજા ક્રમે છે. દિલ્હી (૨૯૪ કેસ), ગુજરાત (૨૨૩ કેસ), તમિલનાડુ (૧૪૮ કેસ), કર્ણાટક (૧૪૮ કેસ), પશ્ચિમ બંગાળ (૧૧૬ કેસ) અને ઉત્તર પ્રદેશ (૧૧૭ કેસ) જેવા રાજ્યોમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
આરોગ્ય વિભાગ દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર
કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવી રાજ્યોમાં રાજ્ય સરકારોએ નાગરિકોને માસ્ક પહેરવાની અને સામાજિક અંતર જાળવવાની અપીલ કરી છે. કર્ણાટકમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ ભીડભાડ વાળા વિસ્તારોમાં માસ્ક પહેરવો, લક્ષણો જણાય ત્યારે તાત્કાલિક તબીબી સહાય લેવી, અને બીમાર બાળકોને શાળાએ ન મોકલવા જેવી સૂચનાઓ આપવામાં આવી છે.
પરીક્ષણ, દેખરેખ અને કોમ્યુનિટી સર્વેલન્સની તૈયારી
રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવા, કોમ્યુનિટી સર્વેલન્સ કાર્યક્ષમ બનાવવા અને હોસ્પિટલોમાં પૂરતા બેડ અને દવાઓના જથ્થાની વ્યવસ્થા કરવા તંત્રએ કામ શરૂ કર્યું છે. સાથે જ, કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યોએ પૂરતી તૈયારી રાખે એવી સલાહ આપી છે. આરોગ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું કે કેન્દ્ર સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે.
રાંચી અને નોઈડા જેવા શહેરોમાં પણ ચિંતાજનક પરિસ્થિતિ
ઝારખંડના રાંચી શહેરમાં અત્યારસુધીમાં 3 સક્રિય કેસ નોંધાયા છે, જ્યારે નોઈડામાં 14 નવા કેસ સાથે કુલ 57 સક્રિય કેસ નોંધાયા છે. દિલ્હીમાં પણ કોરોનાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું છે.
સામાન્ય જનતાને શું કરવું જોઈએ?
- નિયમિત રીતે હાથે ધોવો અને સેનેટાઈઝરનો ઉપયોગ કરો
- ભીડ વાળા વિસ્તારોમાં માસ્ક પહેરો
- શારીરિક અંતર જાળવો
- લક્ષણો જણાય તો તરત તબીબી સલાહ લો
- કોરોનાની સાચી માહિતી માત્ર સત્તાવાર સ્ત્રોતો પાસેથી મેળવો
તકેદારી રાખવી આવશ્યક
હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે કોરોનાનો જોખમ હજી પૂરતું ઘટ્યું નથી. ત્યારે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજી અને સરકાર તથા આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અને સલાહોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.
ટોલ-ફ્રી હેલ્પલાઇન: 1800 425 8330
આપતકાળ સેવા: 108
સાવચેત રહો, સુરક્ષિત રહો.