Covid-19 cases LF.7, JN.1 જેવા ઓમિક્રોનના પેટાવેરિઅન્ટસ ઝડપથી ફેલાઈ રહ્યા છે, ભારતમાં 28 લોકોના મોત અને 3,000થી વધુ સક્રિય કેસ નોંધાયા
Covid-19 cases ભારતમાં ફરીથી કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના સક્રિય કેસોમાં આશ્ચર્યજનક 1200% નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે, 31 મે, 2025 સુધી દેશમાં 3,395 સક્રિય કોવિડ-19 કેસ નોંધાઈ ચૂક્યા છે. 22 મેના રોજ માત્ર 257 કેસ હતા, જેનો અર્થ છે કે સપ્તાહમાં દરરોજ બે ગુણો કરતાં વધુ છે.
અસરો સૌથી વધુ કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી પર:
કેરળમાં સૌથી વધુ 1,336 સક્રિય કેસ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 467, દિલ્હીમાં 375 અને ગુજરાતમાં 265 કેસ નોંધાયા છે. કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત અન્ય ઘણા રાજ્યોમાં પણ કેસ વધ્યા છે.
મૃત્યું આંક પણ ચિંતાજનક:
2025 ની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતમાં કોરોનાથી 28 લોકોના મૃત્યુ થયાના આંકડા જાહેર થયા છે. માત્ર છેલ્લા એક દિવસમાં ચાર લોકોના મોત થયાનું જાણવા મળ્યું છે, જેમાંથી કેરળ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાંથી મોત નોંધાયા છે.
ICMRએ વેરિઅન્ટ્સની ઓળખ કરી:
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, નવા વાયરસના પ્રભાવશાળી વેરિઅન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 છે. આ બધા ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલ મુજબ, આ નવા વેરિઅન્ટસ ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે અને હવે ઉત્તર ભારતમાં પણ પગપેસારો કરી રહ્યા છે.
શું છે ગંભીરતા પાછળનું કારણ?
વિશેષજ્ઞોનું માનવું છે કે લોકોના બૂસ્ટર ડોઝ ન લેવી, માસ્ક અને સેનિટાઇઝેશન જેવી પૂર્વસાવચેતી છોડવી અને ખાસ કરીને ક્રમશઃ ઓમિક્રોનના નવા રુપોને કારણે વાયરસ ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યો છે.
સાવચેત રહેવાની અપીલ:
ICMR અને આરોગ્ય વિભાગે લોકોને ભીડભાડ ટાળવાની, બૂસ્ટર ડોઝ લેવાની, માસ્ક પહેરવાની અને શંકાસ્પદ લક્ષણો દેખાતા તાત્કાલિક ટેસ્ટ કરાવવા માટે અનુરોધ કર્યો છે. ઉપરાંત, તમામ રાજ્યોમાં Integrated Disease Surveillance Programme (IDSP) દ્વારા સતત મોનીટરિંગ ચાલી રહ્યું છે.
વિશ્વભરમાં કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી અને ભારતમાં તેના નવા વેરિઅન્ટ્સ ફરી એકવાર ચિંતાનો વિષય બની રહ્યા છે. લોકોની બેદરકારી અને નવી લહેરના મૌન સંકેતો એક મોટી ચેતવણી સમાન છે.