કોરોના વાયરસ મહામારી દરમિયાન કેરળમાં કોવિડ ફર્સ્ટ લાઈન ટ્રીટમેન્ટ સેન્ટર્સમાં નિમણૂંક લગભગ 900 ડોકટર્સે તેમના પગારમાં કપાત મામલે રાજીનામું આપી દીધું છે. આ વર્ષે સરકારી કોલેજમાંથી પાસ થયેલા 1080 એમબીબીએસ ગ્રેજ્યુએટમાંથી 900 ડોક્ટર્સે રાજીનામું આપ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમને 42,000 માસિક પગાર પર નોકરી પર રાખવામાં આવ્યા હતા પરંતુ તેમને માત્ર 27,000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી.
કેરળ જૂનિયર ડોક્ટર્સ એસોસિએશન 2020-21ના અધ્યક્ષ ડૉ. ઉસ્માન હુસૈને જણાવ્યું કે, સેલેરીમાંથી 8,400 રૂપિયા સરકારી પગાર આપવામાં થઈ રહેલી મુશ્કેલીના નામ કાપી લેવામાં આવ્યા. આ ઉપરાંત અને ટીડીએસ અને અન્ય ટેક્સના નાણાં પણ કાપવામાં આવ્યા. હવે અમને માત્ર 27,000 રૂપિયાની ચૂ6કવણી કરવામાં આવી રહી છે. એસોસિએશને મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીને પત્ર લખીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપની માગણી કરી છે.
જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 19,094 દર્દી હોસ્પિટલમાં છે. કોરોનાના નવા કેસમાંથી 14 લોકો વિદેશથી આવ્યા છે, 36 લોકો અન્ય રાજ્યમાંથી આવ્યા જ્યારે 1,059 દર્દી પહેલાથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવવાને કારણે સંક્રમિત થઈ ગયા છે.