પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશની લહેર જોવા મળી રહી છે. તેવામાં સરહદની આ લડાઇ હવે ક્રિકેટના મેદાન સુધી પહોંચી છે. મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાંથી રવિવારે પાક ખેલાડીઓની તસવીરો હટાવ્યાં બાદ હવે વધુ એક સ્ટેડિયમમાંથી પણ પાક ક્રિકેટરોની તસવીરો હટાવી લેવામાં આવી છે.
સોમવારે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમમાં રહેલી પાક ખેલાડીઓની તમામ તસવીરોને ઉતારી લીધી છે. જણાવી દઇએ કે દેશમાં આતંકી હુમલા બાદ ગુસ્સે ભરાયેલા લોકોનો આક્રેશ જોતાં સ્ટેડિયમના મેનેજમેન્ટે આ નિર્ણય લીધો છે.
અગાઉ પંજાબ ક્રિકેટ એસોસિએશને પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાના શહીદોના પરિવાર સાથે ઉભા રહેતા મોહાલીના ક્રિકેટ સ્ટેડિયમમાં રહેલી પાકિસ્તાની ક્રિકેટર્સની તસવીરો હટાવી લીધી હતી.