દાહોદ જિલ્લા (Dahod jilla) આરોગ્ય વિભાગના (health department) રસીકરણમાં (vaccination) અનેક છબરડાઓ સામે આવી રહ્યા છે. વેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ મેસેજ આવી ગયો અને સર્ટિફિકેટ પણ બની ગયું તો અન્ય વ્યક્તિઓના મોબાઈલ નબરમાં બીજા વ્યક્તિનું રજીસ્ટ્રેશન સામે આવ્યું હતું. દાહોદ જિલ્લામાં ચાલી રહેલ વેક્સિન પ્રક્રિયાના રજીસ્ટ્રેશન ને મામલે અનેક છ્બરડા એકપછી એક સામે આવી રહ્યા છે. અગાઉ મૃતકો રસી મૂક્યાના મેસેજ આવ્યા બાદ ફરીથી રસી ન લેનાર વ્યકતીને બીજો ડોઝ લીધાનો મેસેજ આવી ગયો દાહોદના ગોદીરોડ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય યુનુસઅલી રાણાપુરવાળાએ રસીનો પ્રથમ ડોઝ 12 માર્ચે લીધો હતો.
બીજો ડોઝ લેતા પહેલા કોરોના પોઝિટિવ આવ્યા જેને પગલે બીજો ડોઝ બાકી છે. ત્યારે તેમણે મોબાઈલમાં મેસેજ આવ્યો કે તમારો બીજો ડોઝ મુકાઈ ગયો છે. અને પોર્ટલ ઉપર ચેક કરતાં બીજો ડોઝ લીધા વગર સર્ટિફિકેટ પણ બની ગયું.સર્ટિફિકેટ દાહોદના દેસાઈવાડ અર્બન હેલ્થ સેન્ટરમાં રસીનો બીજો ડોઝ લીધાનું જણાવાય છે. જ્યારે તેમણે રસીનો બીજો ડોઝ લીધો જ નથી. જ્યારે બીજા કિસ્સામાં ગોદીરોડ વિસ્તારના શબ્બીરભાઈ ગાદરીવાલાએ પ્રથમ ડોઝનું રજીસ્ટ્રેશન કરવા માટે પોર્ટલમાં તેમનો મોબાઈલ નંબર નાખ્યો.તો તેમના નબરમાં અન્ય કોઈ વ્યક્તિનું રજીસ્ટ્રેશન થયેલું જોતાં ચોકી ઉઠ્યા હતા. એટલે માની શકાય કે રસીકરણની પ્રક્રિયામાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી છે અથવા તો રસીનો ટાર્ગેટ પૂર્ણ કરવા કે બીજી કોઈ રીતે કૌભાડ કરાતું હોવાની પણ આશંકાઓ સેવાઇ રહી છે.