નવી દિલ્હીઃ અત્યારે ડબલ મ્યુટેન્ટ વાયરસ ભારતમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે હવે નવા ખતરાની ચિંતા વધુ છે. ભારતમાં કોરોના વાયરસના ત્રણ સ્વરૂપ જોવા મળ્યા છે. એક ન્યૂઝ રિપોર્ટમાં જણાવ્યાનુસાર પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE)વિભાગે કોરોના વાયરસના એક ભારતીય સ્વરુપ બી. 1617.2 લોકોને લઈને કહ્યુ કે આ અન્ય બે સ્વરુપોની સરખામણીએ વધારે સંક્રમક છે ઝડપથી ફેલાય છે. કોરોનાના બી. 1617.2 સ્વરુપને વીઓસી 21 એપીઆર-02નું નામ આપવામાં આવ્યુ છે. કોરોનાનું આ સ્વરુપ ગત વર્ષ ઈંગ્લેન્ડમાં જોવા મળ્યુ કેન્ટ સ્વરુપથી ઓછું સંક્રમક છે અને આ બ્રિટનમાં હજું પણ સક્રિય બનેલું છે.
પીએચઈએ કહ્યુ કે વીઓસી 21 એપીઆર-02ના મામલા ગત એક અઠવાડિયા દરમિયાન 202થી 520થઈ ગઈ છે અને અડધા ડર્ઝન જેટલા મામલા સંપર્ક અથવા વિદેશ યાત્રાના કારણે આવ્યા છે. કોરોના વાયરના આ સ્વરુપ ઉપરાંત અત્યાર સુધી બી. 1617 અને બી. 1617.3 પર શોધ થઈ રહી છે. પીએચઈ તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ બી. 1617 ના 61 નમુના સહિત કુલ 500 નમૂના પર શોધ કરવામાં આવી રહી છે.
જો કે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોનાના બી. 1617.2 સ્વરુપ બ્રિટનમાં કોવિડ 19 મહામારીની બીજી લહેર માટે જલાબદાર કેન્ટ સ્વરુપની સરખામણી ઓછી સંક્રમક છે. કોરોનાનું આ સ્વરુપ બ્રિટનના બોલ્ટન અને લંડનમાં તેજીથી ફેલાઈ રહ્યુ છે. કોરોનાના મ્યૂટેશનને લઈને પીએચઈ સતત વિભિન્ન એકેડમિક અને આંતરરાષ્ટ્રીય સહયોગીયોની સાથે મળીને આના પર અનુસંધાન કરી રહ્યુ છે. એક ન્યૂઝ રિપોર્ટ મુજબ આ વાતના અત્યાર સુધી પુરાવા નથી મળ્યા કે જે આધાર પર એ કહી શકાય કે કોરોના વાયરસના ભારતીય સ્વરુપ પર રસીનું કામ નહીં કરે.
દક્ષિણ આફ્રીકા, બ્રાઝિલ અને ભારતમાં જોવા મળેલા કોરોના વાયરસના સ્વરુપોમાં સ્પાઈક પ્રોટીનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના માધ્યમથી આ માનવ કોશિકાઓ સાથએ જોડાઈ જાય છે. હકિકતમાં વાયરસની આ પ્રકૃતિ હોય છે કે તે મ્યૂટેન્ટ થઈ પોતાના રુપ અને અસ્તિત્વને યથાવત રાખે. ભારતમાં કોવિડ 19ની બીજી લહેરની પાછળ કોરોનાનુ આ જ સ્વરુપને જવાબદાર મનાઈ રહ્યુ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને અધિકારીઓ સાથે આ સંબંધમાં જાણકારી લીધી અને તેમણે સ્પષ્ટ રીતે આને પહોંચી વળવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.