જો તમે નોકરી કરતાં હોવ તો તમારા માટે આ ખબર મહત્વ ની છે કારણ કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કર્મચારીઓની લઘુત્તમ માસિક પેન્શનને બેગણુ કરી 2000 રૂપિયા કરવા પર નિર્ણલ લઇ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નાણા મંત્રાલયે શ્રમ મંત્રાલયને પેન્શન વધારવા માટે અલગ-અલગ પ્રસ્તાવોમાંથી કોઇ એક પ્રસ્તાવ પર સહમતિ માટે કહ્યું છે. જણાવી દઇએ કે કર્મચારી ભવિષ્ય નિધિ અંતર્ગત આવતા કર્મચારીઓના મૂળ વેતનના 12% પીએફમાં જાય છે. આટલુ યોગદાન કંપની પણ આપે છે. પરંતુ કંપનીના 12% યોગદાનમાંથી 8.33% EPS (Employee Pension Scheme) માં જાય છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ તેમાં મૂળ વેતનના 1.16% નું યોગદાન આપે છે. EPS પેન્શનરને હાલ 1000 રૂપિયા મહિના પેન્શન મળી રહ્યું છે. નાણા મંત્રાલયે શ્રમ મંત્રાલયથી એક પ્રસ્તાવ પર સહમતિ બનાવવા કહ્યું છે. શ્રમ મંત્રાલય અને યુનિયને પેન્શનની અલગ અલગ ભલામણ કરી છે. શ્રમ મંત્રાલયે મિનિમમ પેન્શન એક હજારથી વધારીને 2 હજાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાથે જ લેબર યુનિયને મિનિમમ પેન્શન 3000 રૂપિયાની માગ કરી છે. બિન સંગઠિત ક્ષેત્રના આધારે સંગઠિત ક્ષેત્રના પેન્શનમાં વધારાની માગ છે. નાણા મંત્રાલયને યુનિવર્સલ પેન્શનમાં પણ વધારાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. CBT હવે નવા પ્રસ્તાવો પર સહમતિ બનાવશે. 5 માર્ચની બેઠકમાં નાણાકીય વર્ષ 2020 માટે પીએફ પર વ્યાજ દરનો પણ નિર્ણય લેવાશે. બેઠકમાં જો પ્રસ્તાવ પાસ થશે તો નાણા મંત્રાલય તેના પર નિર્ણય લેશે. લેબર મિનિસ્ટર સંતોષ કુમાર ગંગવારે તાજેતરમાં જ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, મિનિમમ પેન્શન વધવાથી સરકારી ખજાના પર બોજો પડશે. તેનાથી સરકારી ખર્ચ વધીને 5955 કરોડ રૂપિયા થઇ જશે. જો કે તેનાથી આશરે 39.72 લાખ પેન્શનરોને ફાયદો મળશે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.