ઝેરી હવાને લઇને અકાળે મોત થવાના મામલામાં શાંઘાઇ પ્રથમ નંબરે આવે છે. પીએમ ર.પ પ્રદૂષણને લઇને અહીં વર્ષ ર૦૧૬માં ૧૮,ર૦૦ લોકોનાંમોત થયાં હતાં. જ્યારે બીજા નંબરે બીજિંગનું નામ આવે છે. જયાં ૧૭,૬૦૦ લોકોનાં અકાળે મૃત્યુ થયાં હતાં. પીએમ ર.પનો મતલબ એવો થાય છે કે વાયુમંડળમાં ર.પ મીમી.થી ઓછા વ્યાસવાળા કણ જો શ્વાસ દ્વારા શરીરની અંદર પહોંચે તો મોટું નુકસાન થાય છે. અભ્યાસ અનુસાર પીએમ ર.પને લઇને લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. જેમાં ખાસ કરીને કાર્ડિયો વેસ્કયુલર (હૃદયની) અને ફેફસાંની બીમારીઓ તેમજ કેન્સર અને અકાળે મોતનો સમાવેશ થાય છે. આ અભ્યાસમાં જણાવાયું છે કે પીએમ ર.પથી સંબંધિત બીમારીઓ દુનિયાભરનાં મોટાં શહેરોમાં ફેલાયેલી છે, પરંતુ એશિયાન શહેરો તેનાથી વધુ પરેશાન છે. ભારતમાં દિલ્હી બાદ વાયુ પ્રદૂષણને કારણે સૌથી વધુ મોત મુંબઇમાં થયાં છે. મુંબઇમાં ર૦૧૬માં પ્રદૂષણને કારણે ૧૦,પ૦૦ લોકોનાં અકાળે મોત થયાં હતાં. જ્યારે ર૦૧૬માં ચેન્નઇ અને બેંગલુરુમાં પ્રદૂષણના સ્તર ર.પ સંબંધિત બીમારીઓથી અંદાજે પ,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં હતાં.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.