મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા કોરોના ટેસ્ટ અને હોમ ક્વારન્ટીન વિશે માહિતી આપતા કહ્યું કે દિલ્હીમાં હવે દરરોજ 18000 કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હાલના સમયમાં જેટલા લોકો સાજા થઈ રહ્યા છે તેટલી જ સંખ્યા લોકો બીમાર પણ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારનાં મદદથી કોરોના ટેસ્ટ ઝડપી રીતે શરૂ કરવામાં આવ્યા છે. મને લાગે છે કે કોરોના ટેસ્ટમાં હવે કોઈ પણ પ્રકારે મુશ્કેલી આવશે નહીં.
જે લોકોની ઘરે સારવાર થઈ રહી છે કે ક્વારન્ટાઈન છે તેવા તમામ દર્દીઓને ઓક્સિજન પલ્સ મીટર આપવામાં અપાશે, જેનાથી દર્દીઓ પોતે ઓક્સિજનનો દર ઓછો થતાં જિલ્લા પ્રશાસનનો સંપર્ક કરશે. ત્યાર પછી જિલ્લા વહીવટીતંત્ર તાત્કાલિક ઘરે ઓક્સિજન સિલિન્ડર મોકલશે, જો જરૂરી હોય તો દર્દીને હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.
કેજરીવાલ સરકારે કહ્યું કે, એક તરફ ચીની વાયરસ કોરોના અને બીજી બાજુ સરહદ પર યુદ્ધ છે. હાલમાં અમે સરહદ પર ખડેપગ ફરજ બજાવનાર જવાનો અને ડોકટરોની સાથે છીએ. અમારા 20 બહાદુર જવાનોએ જેવી રીતે ચીની સૈનિકોને નીડરતાથી જડબાતોડ જવાબ આપ્યો છે તે જ રીતે અમે પણ પીછેહઠ કરીશું નહીં અને ચીન સામેના બંને યુદ્ધ જીતીશું.
દિલ્હીમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે કેજરીવાલ સરકારે નક્કી કર્યું છે અને કહ્યું કે ઘરે ક્વારન્ટાઈન થયેલા લોકોને ઓક્સિજન પલ્સ મીટર આપવામાં આવશે. દર્દીને ઓક્સિજન મળશે તો જ જીવન બચાવી શકાશે. આ સમયે અમારો સંપૂર્ણ ભાર ઓક્સિજનની ઉપલબ્ધતા પર છે. ઉપરાંત, કેજરીવાલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં અમે ટેસ્ટમાં ત્રણ ગણો વધારો કર્યો છે. પહેલાં દરરોજ લગભગ 5000 કોરોના ટેસ્ટ કરવામાં આવતા હતા, હવે દરરોજ લગભગ 18000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેટલા પણ ઘરના ક્વોરેન્ટાઇનના કેસ હશે, તે દરેક આઈસોલેશન કેસને ઓક્સિપલ્સ મીટર અપાશે.