ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશના પાટનગરમાં એક જ તબક્કામાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. મતદાન બાદ 11 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં મુખ્ય મુકાબલો સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી વચ્ચે રહેશે. જોકે, કોંગ્રેસની સ્થિતિ ગઈ વખતની ચૂંટણીની સરખામણીએ મજબૂત લાગી રહી છે.
દિલ્હીના ચૂંટણી પંચના મુખ્ય અધિકારી રણવીર સિંહે જણાવ્યું કે, રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મે, 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ની સરખામણીમાં વિધાનસભા ચૂંટણી 2020 સુધી 3,75,000 મતદાતાઓનો વધારો નોંધાયો છે અને હવે દિલ્હીમાં કુલ 1,46,92,136 મતદાતાઓ છે. દિલ્હીમાં પુરુષ મતદાતાઓની સંખ્યા 80,55,686 છે, જ્યારે 66,35,635 મહિલા મતદાતાઓ છે. રાષ્ટ્રીય પાટનગરમાં 815 મતદાતા થર્ડ જેન્ડર છે જ્યારે NRI મતદાતાઓની સંખ્યા 489 છે.
ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. દેશના પાટનગરમાં એક જ તબક્કામાં 8 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. મતદાન બાદ 11 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. દિલ્હીમાં મુખ્ય મુકાબલો સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી વચ્ચે રહેશે. જોકે, કોંગ્રેસની સ્થિતિ ગઈ વખતની ચૂંટણીની સરખામણીએ મજબૂત લાગી રહી છે.
ચૂંટણી આયોગ આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. બપોરે સાડા ત્રણ વાગ્યે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ યોજશે. નોંધનીય છે કે આવતા મહિને દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ ચૂંટણીમાં રાજ્યમાં ત્રિકોણીય મુકાબલો થાય તેવી પૂર્ણ શક્યતા છે.
દિલ્હી ચૂંટણી કાર્યાલય આજે એ પણ નક્કી કરશે કે પાટનગરમાં કેટલા લોકો મતદાન કરી શકશે. તેઓ મતદાતાઓની અંતિમ યાદીની પણ જાહેરાત કરશે. તેઓ મતદાતાઓની યાદી ડાહેર કરશે તે સિવાયના કોઈ પણ મતદાતાઓને મતાધિકાર આપવામાં આવશે નહીં, પછી ભલે ને તેમની પાસે જરૂરી તમામ દસ્તાવેજો કેમ ન હોય.
ચૂંટણી પંચ દ્વારા દિલ્હી ચૂંટણીની જાહેરાત કરતાની સાથે જ રાજ્યમાં તાત્કાલિક પ્રભાવથી આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ રાજ્યમાં એક જ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરશે. ચૂંટણીની તારિખોની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે પરંતુ આ અંગેની સંપૂર્ણ તૈયારીઓ કરવાની જવાબદારી ચૂંટણી કાર્યાલય (ચીફ ઈલેક્ટોરલ ઓફિસર)ની હતી.
જે લોકોનું નામ આ યાદીમાં નહીં હોય તેમને મત આપવાનો અધિકાર આપવામાં આવશે નહીં. મતદાતાઓના નામની અંતિમ યાદી કેન્દ્રીય ચૂંટણી પંચ સુધી પહોંચાડી દેવામાં આવી છે. જેના આધાર પર પંચ દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરશે. દિલ્હી ચૂંટણી કાર્યાલયે તો પહેલેથી જ જણાવી દીધું હતું કે તેઓ ચૂંટણી માટે બધી રીતે તૈયાર છે.