દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ થનારી વોટિંગ માટે ગુરુવારે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર કરવાનો સમય સમાપ્ત થયો. હવે વોટિંગ ખતમ થયાના 48 કલાક સુધી કોઈ પણ રાજકીય પક્ષ તથા ઉમેદવાર ચૂંટણી પ્રચાર નથી કરી શકતો. ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ ખૂબ જ મહેનત કરી હતી. પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસે પણ ધુઆંધાર પ્રચાર કર્યો. હવે 11 ફેબ્રુઆરીએ ખબર પડશે કે દિલ્હીની જનતાએ કોને CM તરીકે પસંદ કર્યો છે.
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી તેમણે કરેલા પાંચ વર્ષના કામકાજ પર વોટ માંગી રહી છે. જ્યારે BJP રાષ્ટ્રીય મુદ્દાઓને પોતાનો હથિયાર બનાવ્યો હતો. BJPએ શાહીન બાગ પર રાજકીય નિવેદનો આપ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ‘ગોળી મારો’ જેવા નિવેદન આપીને રાજકારણ ગરમાવ્યુ હતુ, જ્યારે BJPના સાંસદે પ્રવેશ વર્માએ દિલ્હીના મુખ્યમંત્રીને આતંકવાદી ગણાવ્યા હતા. જે બાદ ચૂંટણી આયોગે બંનેના નિવેદન પર સંજ્ઞાન લીધો હતો અને બંનેના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવ્યો હતો.