Air India Plane Crash સુરક્ષા બાબતોમાં ગંભીર ખામીઓ જાહેર થતાં ત્વરિત કાર્યવાહી, જૂના રિપોર્ટ્સમાં પણ ખુલાસા
Air India Plane Crash 12 જૂન, 2025 ના રોજ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી હતી. આ દુર્ઘટનામાં વિમાનના તમામ મુસાફરો અને ક્રૂના સભ્યોના મોત થયા હતા અને માત્ર એક વ્યક્તિ જીવતો બચી શક્યો હતો. દુર્ઘટનાના પગલે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ વિમાન સલામતી અંગે ગંભીરતા પૂર્વક પગલાં લીધાં છે.
દિલ્હી અને મુંબઈ સહિત મોટા એરપોર્ટ પર દેખરેખમાં વધારો
DGCA એ તાત્કાલિક ધોરણે દિલ્હી અને મુંબઈ સહિત દેશના મોટા એરપોર્ટ્સ પર નજર રાખવા માટે બે વિશેષ ટીમોની રચના કરી છે. આ ટીમો દિવસ-રાત એરપોર્ટના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરશે. તેમાં ફ્લાઇટ ઓપરેશન્સ, એરવોર્થિનેસ, રેમ્પ સેફ્ટી, ATC, કોમ્યુનિકેશન સિસ્ટમ્સ અને પ્રી-ફ્લાઇટ મેડિકલ તપાસનો સમાવેશ થાય છે.
તપાસમાં ખુલ્લી પડી સુરક્ષા ખામીઓ
DGCA ની તપાસ દરમિયાન ખુલ્લું પડ્યું કે ઘણા વિમાનોમાં સમાન પ્રકારની ટેકનિકલ ખામીઓ વારંવાર જોવા મળતી હતી. અમુક વિમાનોમાં યોગ્ય રીતે જાળવણી નહીં થતા સંભવિત જોખમ વધી શકે તેમ છે. ખાસ કરીને થ્રસ્ટ રિવર્સર સિસ્ટમ અને ફ્લેપ સ્લેટ લીવર લોક ન કરવાને કારણે વિમાન સુરક્ષાને ખતરો ઊભો થયો હતો. લોગબુકમાં પણ ખામીઓ નોંધવામાં આવી નથી, જે ગંભીર બેદરકારી દર્શાવે છે.
ગ્રાઉન્ડ હેન્ડલિંગ સાધનો અયોગ્ય હાલતમાં
રિપોર્ટ મુજબ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સાધનો જેમ કે ટ્રોલી, BFL અને સામાનના સંચાલન માટેના અન્ય સાધનો પણ યોગ્ય સ્થિતિમાં નહોતા. ઘણી જગ્યાએ આ સાધનો બિનઉપયોગી જણાયા હતા, જે દુર્ઘટનાઓને આમંત્રણ આપી શકે છે.
વિમાનોની જાળવણીમાં ઉદાસીનતા
જાળવણી દરમિયાન AME (એવિએશન મેંટેનન્સ એન્જિનિયર) દ્વારા જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવ્યા નહોતા. AMM (એવિએશન મેંટેનન્સ મેન્યુઅલ) મુજબ કામગીરી ન થતી હોવાના અનેક દાખલા જોવા મળ્યા. તેમજ વિમાનોના ભાગોમાં, ખાસ કરીને વિમાની પાંખની નીચે કાટવિરોધી ટેપ પણ ખરાબ હાલતમાં મળી હતી.
DGCA carries out surveillance at major airports, including Delhi and Mumbai
Read @ANI Story |https://t.co/jXvZBCJ7wJ#DGCA #Airports #surveillance pic.twitter.com/X5u3PUtWTH
— ANI Digital (@ani_digital) June 25, 2025
રનવેની હાલત પણ ચિંતાજનક
માત્ર વિમાન જ નહીં, પણ રનવેની સ્થિતિ પણ અસુરક્ષિત હોવાનું બહાર આવ્યું છે. રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ લાઇન માર્કિંગ ઝાંખું પડેલું હતું અને કેટલીક જગ્યાએ ટર્મિનલ લાઇટ્સ પણ ગુમ હતી. રેપિડ એક્ઝિટ ટેક્સીવેની સ્થિતિ પણ ધ્યાને લેવાની જરૂર જણાઈ હતી.
DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવે એવિએશન સુરક્ષા બાબતે વધારે ગંભીર બન્યું છે. આગામી દિવસોમાં સર્વેલન્સ વધુ મજબૂત બનાવાશે અને તમામ એરલાઇન્સ તેમજ એરપોર્ટ ઓપરેટર્સ પાસેથી નિયમોનું પાલન સુનિશ્ચિત કરાવાશે.