દેશમાં સામાન્ય દર્દીઓનો બે થી ત્રણ ટકા ટકા જેટલો મૃત્યુદર છે. પણ કોરોનાના દર્દીની સારવાર કરતા એવા ડોક્ટરમા આઠ ટકા મૃત્યુદર છે. દેશમાં કોરોના સંક્રમિત 1302 જેટલા ડોકટર્સમાંથી 99 ડોક્ટર મોતને ભેટયા છે.
ઈન્ડિયન મેડીકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડો.ચંદ્રેશભાઇ જરદોશે જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 26 હજારથી વધુ થયો છે. જેમાં 1302 જેટલા ડોકટર્સ પણ કોરોના સંક્રમિત થયા છે. જે અંતર્ગત પ્રેકિટસીંગ ડોકટર 586, રેસીડન્ટ ડોકટર 566 અને હાઉસ સર્જન ડોકટર 150 ડોકટરનો સમાવેશ થાય છે. જેમાં 99 ડોક્ટર મોતને ભેટયા છે. એટલે સામાન્ય દર્દીઓમાં મૃત્યુઆંક બે થી ત્રણ ટકા છે. જ્યારે ડોક્ટરોમાં અંદાજિત આઠ ટકા જેટલો મૃત્યુઆંક જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં અંદાજીત કોરોના સંક્રમિત 300 પૈકી 9 ડોક્ટર મોત થયા હતા. અને સુરતમાં 201ડોક્ટર પૈકી એક ડોક્ટર નું મોત થયું છે. ગુજરાતમાં ડોક્ટરનો મૃત્યુદર ઓછો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ડોક્ટરોનાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે.