રેલ્વેમાં લાંબા અંતરના પ્રવાસમાં સક્ષમ મેડિકલ-સુવિધાન હોવાને કારણે પ્રવાસ દરમ્યાન આરોગ્ય સંબંધિત સમસ્યા થાય ત્યારે શું એવો ડર હવે રાખવાની જરૂર નથી કેમ કે રેલ્વે-પ્રવાસીઓના આરોગ્ય-સુવિધા સંદર્ભે કેન્દ્ર સરકારે હવે ગંભીરતાથી વિચાર કર્યો છે. રેલ્વેમાં ડોકટર, ફાર્મસિસ્ટ અને નર્સની નિયુકિત કરવામાં આવશે. એ માટે જરૂરી એવી આરોગ્ય-સુવિધા મળે એ માટે રેલ્વે બોર્ડ તેમ જ કેન્દ્રીય મેડિકલ સંગઠને અમુક મહત્વના પગલાઓ લીધા છે. રેલ્વે બોર્ડના આરોગ્ય-વિભાગે પ્રવાસીઓ પ્રવાસ કરે છે એ ટ્રેનોમાં ગાર્ડ અને દરેક રેલ્વે-સ્ટેશનના સ્ટેશન માસ્તર પાસે જરૂરી દવાઓ સહિત ડ્રેસિંગ સામગ્રી રહેલું ફર્સ્ટ એઈડ બોકસ રાખવામાં આવશે. મુખ્ય રેલ્વે સ્ટેશનો પર અને રાજધાની, શતાબ્દી એકસપ્રેસ ટ્રેનો, લાંબા અંતરની ટ્રેનોના સુપરિન્ટેન્ડેન્ટ અને ગાર્ડ પાસે જરૂરી એવી દવાઓનો જથ્થો આપવામાં આવશે. ઈમર્જન્સીમાં લાગતી જરૂરી મેડીકલ સામગ્રી ફર્સ્ટ એઈડ બોકસ આપવામાં આવ્યા છે. એને કારણે પ્રવાસી કોઈ પણ ઈમર્જન્સીના સમયે એની માંગણી કરી શકશે. કર્મચારીઓને આરોગ્યની તાલીમ પ્રવાસીઓને પ્રાથમિક સારવાર આપવા માટે ટ્રેનમાં હાજર કર્મચારીઓને પણ તાલીમ આપવામાં આવી છે. સ્ટેશનના સ્ટેશન માસ્તરને સ્ટેશન નજીકની સરકારી અને પ્રાઈવેટ હોસ્પીટલોના ડોકટરો, હોસ્પીટલ તેમજ દવાખાનાની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.