દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ફોજીની પત્નીએ આપઘાત કર્યો હતો. ખંભાળિયા પોલીસ દ્વારા મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પતિ ભુપેન્દ્રસિંહ જેઠવા કાશ્મીર ગુલમર્ગ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. જો કે ફોજીની રજાઓ પુરી થતા ફરજ પર પરત જવાનુ હતુ.
બીજી તરફ ફોજીની પત્ની પુલવામાંના આંતકવાદી હુમલાથી ગભરાઈ ગઇ છે. જેથી પતિને ફરજ પર જવા રોકી રહી હતી. ફોજી પતિ દ્વારા દેશની સુરક્ષા કાજે જવું જ પડે તેવી વાત કરતા ફોજીની પત્ની આત્મહત્યા કરી હતી.