કોરોના સંકટ વચ્ચે ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આજે સવારે ઝારખંડના જમશેદપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 6:55 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી છે. જમશેદપુરની સાથે કર્ણાટકના હમ્પીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0ની રહી હતી.
ઝારખંડ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં આવેલા ભૂકંપના આંચકાથી કોઈ પ્રકારના નુક્સાનના સમાચાર હજુ સુધી નથી મળ્યા જો કે વહેલી સવારે આવેલા આંચકાથી લોકો ભયના માર્યા પોતપોતાના ઘરોની બહાર જરૂરી નીકળી આવ્યા હતા.