Education: જ્યારે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ 2014 માં સત્તામાં આવ્યા પછી શિક્ષણમાં સુધારો કરવાનું વચન આપ્યું હતું.
છોકરીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું વચન આપ્યું હતું. શિક્ષણ પરનો જાહેર ખર્ચ જીડીપીના 6 ટકા જેટલો કરવાનું વચન મોદીએ આપ્યું હતું.
મોદી સરકારના એક દાયકાના લાંબા શાસનમાં પાઠ્યપુસ્તકોમાં ઇતિહાસ અને રાજનીતિમાં હિન્દુત્વના વર્ણનને અનુરૂપ બદલવામાં આવ્યા છે. પણ લોકો માટે શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે.
મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો અને શિક્ષણના ક્ષેત્રમાં જમીની વાસ્તવિકતાનો ખ્યાલ મેળવવા માટે, ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી નેટવર્ક ઇન્ડિયા (FAN-India) એ ‘એજ્યુકેશન રિપોર્ટ કાર્ડ-2014-24’ બહાર પાડ્યું છે.
શાળા બંધ કરી
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 મુજબ, તાજેતરના વર્ષોમાં સરકારી શાળાઓના એકીકરણમાં વધારો થયો છે. જેણે શિક્ષણ અધિકાર કાયદાના હેતુ જ મારી નાંખ્યો છે.
2023ના વર્ષમાં દેશભરમાં કેન્દ્ર સરકાર સંચાલિત 4000 થી વધુ શાળાઓ એકબીજામાં ભેળવી દેવામાં આવી છે. ગુજરાત સરકાર સંચાલિત 30થી 37 હજાર શાળાઓ મર્જ કરવામાં આવી છે. તેમાં 15800 પ્રાથમિક શાળા છે. રાજ્યની 5638 સેકન્ડરી સ્કૂલ અને 10126 સિનીયર સેકન્ડરી શાળાઓ બંધ કરી ભેળવી છે. તેનો સીધો મતલબ કે એટલી સાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હજારો બાળકોને ગુજરાતની ભાજપ સરકારે અભણ બનાવી દીધા છે.
મહારાષ્ટ્રે શાળાઓના વિલીનીકરણની જાહેરાત કરી, જેનાથી લગભગ 2 લાખ બાળકોને અસર થઈ, જ્યારે ઓડિશાએ 7,478 શાળાઓ બંધ કરી. વધુમાં, મધ્યપ્રદેશે 35,000 શાળાઓને 16,000 સંસ્થાઓમાં મર્જ કરવાની દરખાસ્ત કરી છે. દૂરના વિસ્તારોમાં શિક્ષણના અધિકાર કાયદાના પાલન અંગે ચિંતાઓ ઊભી કરે છે.
એક જ શિક્ષક
ગુજરાતમાં 2100 સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક છે. જે બે વર્ષ પહેલા 700 જેટલી હતી. 2025માં ગુજરાતમાં 5 હજાર શાળાઓમાં એક જ શિક્ષક હોઈ શકે છે.
એક જ શિક્ષક
- મધ્ય પ્રદેશમાં 16 હજાર
- રાજસ્થાનમાં 11 હજાર
- મહારાષ્ટ્રમાં 6 હજાર
- ઉત્તર પ્રદેશમાં 8000
- કર્ણાટકમાં 8000
- ઝારખંડમાં 7500
- તેલંગાણામાં 6400
- આંધ્રપ્રદેશમાં 13 હજાર શાળાઓમાં એક જ શિક્ષક છે.
- શિક્ષણ વધારવાનું વચન ન પાળ્યું
3 વર્ષમાં 60 હજાર શાળા બંધ
શિક્ષણને સુધારવાના મોદી સરકારના વચનથી વિપરીત વાસ્તવિકતા છે. 2018-19 અને 2021-22 ની વચ્ચે, ભારતમાં શાળાઓની કુલ સંખ્યા 15,51,000 થી ઘટીને 14,89,15 થઈ ગઈ છે. 62 હજાર શાળાઓ બંધ થઈ ગઈ છે.
ખરેખર તો 20 લાખ શાળાઓ હોવી જોઈતી હતી. તેનો સીધો મતલબ કે 5 લાખ શાળાઓ મોદીએ ઓછી કરી. જેમાં
સરકારી શાળાઓ ઘટી તેની સામે ખાનગી શાળા વધી છે.
ઓની સંખ્યામાં પણ વધારો થયો છે, જેના કારણે વંચિત વર્ગ માટે શિક્ષણની પહોંચ એક મોટો પ્રશ્ન બની ગયો છે.
સરકારી સહાયિત શાળાઓ ઘટી રહી છે.
ખાનગી શાળા
બધી2014-15માં ખાનગી શાળાઓની સંખ્યા 2,88,164 હતી અને 2021-22માં તે વધીને 3,35,844 થઈ ગઈ છે, જેમાં 47,680નો વધારો નોંધાયો છે. જે ગરીબ અને પછાત વર્ગના લોકોનું શિક્ષણ ઘટાડે છે.
શિક્ષકોની ઘટ
ગુજરાતમાં સરકારી શાળાઓમાં 19,600 શિક્ષકોની જગ્યા ખાલી છે.
રાજ્ય સ્તરે 62.71 લાખ મંજૂર શિક્ષકોમાંથી 10 લાખ જગ્યાઓ ખાલી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં નિમણૂક પત્રોની રાહ જોતા ઉમેદવારો રાહ જોઈ રહ્યાં છે. તેઓ ભરતી માટે આંદોલનો કરી રહ્યાં છે.
પ્રવેશ ઘટ્યો
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાથમિક સ્તરે 103.39 થી ઘટીને વરિષ્ઠ માધ્યમિક સ્તરે 57.56 થયો છે.
વંચિત વર્ગો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતીઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે.
શિષ્યવૃત્તિ બંધ
ST, SC, OBC અને ધાર્મિક લઘુમતીઓ માટે વર્ગ 1-8 માટે પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ શૈક્ષણિક વર્ષ 2022-23 માં બંધ કરવામાં આવી હતી.
2022 માં મોદી સરકારે લઘુમતીઓ માટે મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ પર રોક લગાવી, જે તેમને એમ.ફિલ, પીએચડી વગેરે જેવા ઉચ્ચ શિક્ષણને આગળ વધારવામાં મદદ કરતી હતી.
પ્રોફેશનલ અને ટેક્નિકલ અભ્યાસક્રમો માટેની શિષ્યવૃત્તિ 2013-14માં રૂ. 243 કરોડથી ઘટીને 2024-25માં માત્ર રૂ. 33.80 કરોડ થઈ ગઈ છે. જે ખરેખર રૂ.500 કરોડ થવી જોઈતી હતી.
વિશ્વવિદ્યાલય
45 કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં શિક્ષકો માટેની 33 ટકા જગ્યાઓ ખાલી છે.
આઈઆઈટીમાં શિક્ષકોની 40 ટકા ખાલી છે અને આઈઆઈએમમાં 31.6 ટકા ખાલી છે.
શિક્ષણ પર ખર્ચ
શિક્ષણ માટેનું કુલ બજેટ ખર્ચ 2013-14માં 3.16 ટકા હતું જે અડધું કરી દેવાયું છે. 2024-25માં નાણાં ઘટીને હવે માત્ર 1.53 ટકા થઈ ગયા છે. સારા શિક્ષણ માટે 6 ટકા ખર્ચનું વચન મોદીએ આપ્યું હતું તેનાથી વિપરીત છે.
આ નાણાં ફળવાયા તેમાં પણ માત્ર 1 ટકા જેવું ખર્ચ થયું છે. બીજા પૈસા સરકારે આપ્યા નથી.
શિક્ષણનું ભગવાકરણ કરવામાં મોદી અવલ્લ છે. 10 વર્ષમાં મોદી સરકારે આ એક માત્ર કામ કર્યું છે.
FAN-India રિપોર્ટ કાર્ડ આવું કહી રહ્યું છે.
2019 સુધીમાં પાંચ વર્ષોમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની સંખ્યામાં 82,760 જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. શાળાના સ્તરે કુલ પાંચ લાખ શિક્ષકોની ઘટ છે