ભારતના ઇલેક્શન કમિશન રવિવારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં યોજાનાર આ પત્રકાર પરિષદમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 11 એપ્રિલે યોજાશે. આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઇ જશે.
હાલના લોકસભાનો કાર્યકાળ ત્રણ જુને સમાપ્ત થશે. એવામાં ત્યાર સુધીમાં નવી સરકારને ચૂંટવાનું ફરજિયાત છે. સૂત્રોનું કહેવું છે 17મી લોકસભા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ અંતિમ ચરણમાં છે. જેની વિગતવાર જાહેરાત આવતા રવિવારની આસપાસ થઇ શકે છે.
લોકસભા ચૂંટણીની સાથે આંધ્રપ્રદેશ, સિક્કિમ, ઓડિસા અને અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઇ શકે છે. તો જમ્મુ કાશ્મીર વિધાનસભા ભંગ થઇ ચુકી છે, આથી અહીં પણ નવેસરથી ચૂંટણી યોજાઇ શકે છે.