ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓને જોરશોરથી ઉઠાવ્યા. ભાજપના નેતાઓએ રામ મંદિર અને કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવાના પોતાના નિર્ણયને સમગ્ર ચૂંટણી પ્રચારમાં ભાર પૂર્વક ઉઠાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી ભાષણોમાં રાષ્ટ્રીય મુદ્દાઓ ઉઠાવ્યા. ભાજપને આશા હતી કે, કાશ્મીરમાંથી ધારા 370 હટવા અને રામ મંદિર જેવા મોટા મુદ્દાઓથી તેમને વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થશે, જો કે જનતાએ આ મુદ્દાઓને નકારી દીધા છે.
રામ મંદિરના નિર્ણય બાદ પ્રથમ ચૂંટણી પરિણામ
રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટનો નિર્ણય હિન્દુઓના પક્ષમાં આવ્યા બાદથી ભાજપ તેને પોતાની જીત માનતી રહી છે. ઝારખંડ ચૂંટણીમાં પણ ભાજપે આ મુદ્દાને જ વધારે મહત્વ આપ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચારમાં રામ મંદિરનો ઉલ્લેખ કરતા રામ મંદિરના નિર્માણની તારીખુ સુદ્ધા બતાવી દીધી હતી. જેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે જણાવ્યું કેક , આગામી 4 મહિનામાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિર જોવા મળશે. જો કે જનતાએ આ મુદ્દાને નકાર્યો છે.
આર્ટીકલ 370 પણ ના આવી કામ
ઓગસ્ટમાં ભાજપે કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ કરીને કાશ્મીરનું વિભાજન કર્યું હતું. દેશભરમાં ભાજપના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપનું માનવું હતું કે, આ મુદ્દે ચૂંટણીમાં તેમને ભરપુર મતો મળશે. જો કે આવું થઈ શક્યું નથી.
નાગરિક્તા કાયદાનો મળ્યો ફાયદો
નાગરિક્તા સંશોધન કાયદાને લઈને સમગ્ર દેશમાં ભલે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હોય, પરંતુ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળ્યો છે. 11 ડિસેમ્બરે નાગરિક્તા સંશોધન કાયદો રાજ્યસભામાં પાસ થયો. જેના બીજા દિવસે 12 ડિસેમ્બરે ઝારખંડમાં ત્રીજા તબક્કાનું મતદાન થયું. જે બાદ 16 ડિસેમ્બરે ચોથા તબક્કાનું અને 20 ડિસેમ્બરે 5માં તબક્કાનું મતદાન થયું હતું. આંકડા પ્રમાણે, રાજ્યસભામાં બિલ પાસ થયા પહેલાની બેઠકોમાંથી ભાજપ માત્ર 33 ટકા બેઠકો પર આગળ ચાલી રહી હતી. જ્યારે બિલ પાસ થયા બાદ 48 બેઠકો પર મતદાન થયું જેમાં 40 ટકા બેઠકો પર ભાજપ આગળ રહ્યું છે.