દક્ષિણ કાશ્મીરના પુલવામા જીલ્લાના પિંગલાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે રાતે 12 વાગ્યે ફાયરીંગ શરૂ થયું હતું અને સવાર સુધી આ એન્કાઉન્ટર ચાલ્યું હતું. મેજર સહિત સૈન્યના ચાર સૈનિકો આ એન્કાઉન્ટરમાં શહીદ થયા છે. અને એક ઘાયલ અવસ્થામાં છે
અહીં બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાનું સંભવ છે. એવું કહેવામાં આવ્યું છે કે સૈન્યએ જૈશ-એ-મોહમ્મદના ત્રણ ટોચના કમાન્ડરો ઘેરીને રાખ્યાં છે, જેઓ આ દિવસે સીઆરપીએફના કાફલા પરના હુમલામાં સામેલ હતા. સલામતી દળોએ આજુબાજુના વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશનને તીવ્ર બનાવ્યું છે.
છેલ્લા ત્રણ કલાકથી કોઈ ફાયરિંગ કરવામાં આવ્યું નથી. જોકે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓપરેશન રાત્રે 12 વાગ્યાથી ચાલતું હતું, આખી રાત બંને બાજુએથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. ગ્રામવાસીઓને વિસ્તારમાંથી બહાર કાઢી દેવાયા છે. સૂત્રોનું કહેવું છે કે પુલવામા આતંકવાદી હુમલાના મુખ્ય ડોન ગાઝી રશીદ પણ આ વિસ્તારમાં છૂપાયેલ હોય એવી શક્યતા છે.
આ પહેલા ગુરુવારે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલામાં 40 સૈનિકોની શહીદી પર સૈન્યના ભૂતપૂર્વ RAW વડા વિક્રમ સૂદે બે શબ્દોમાં કહ્યું હતું કે, “આવા બનાવો સુરક્ષા વ્યવસ્થામાં ખાની વગર કરી શકાતા નથી.” સૂદે કહ્યું કે ‘મને ખબર નથી કે ભૂલ ક્યાં થઈ છે, પરંતુ આવા બનાવો સલામતીની ગોઠવણીમાં ચૂક થઈ હોય તો જ બની શકે બાકી આ ઘટનાં શક્ય નથી.’