જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ અહીં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે બાદ આતંકવાદીઓએ પોતાને ભારતીય જવાનોથી ઘેરાયેલા જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેનો જવાબ આપતા ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બે આતંકવાદીઓ માર્યા ગયા છે. જો કે આ આતંકવાદીઓની ઓળખ હજુ સુધી મળી શકી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સૈનિકો વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. અનંતનાગ જિલ્લામાં આ એન્કાઉન્ટરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.
એન્કાઉન્ટર વિશે મળેલી પ્રારંભિક માહિતી અનુસાર, ભારતીય જવાનોને અનંતનાગના પોશ્કરી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ઈનપુટ મળ્યા હતા. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તલાશી દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં ભારતીય જવાનોને કોઈ ઈજા થઈ નથી.