Farooq Abdullah ફારુક અબ્દુલ્લાનું ભાઈચારાનું સંદેશ: માતા વૈષ્ણો દેવી જવું પડશે, તણાવમાં નહીં, એકતામાં છે તાકાત
Farooq Abdullah જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના પહેલગામ હુમલા બાદ સ્થાનિક તણાવ અને સુરક્ષા સ્થિતિને લઈ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિના પૃષ્ઠભૂમિમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ લોકોને ભાઈચારા અને ધર્મનિરપેક્ષતાના સંદેશ સાથે એકતાને મજબૂત કરવાની અપીલ કરી છે.
તુલમુલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખીર ભવાની મંદિરમાં યોજાતા મેળા અને સાથે સાથે હઝરત શાહ-એ-હમદાન (ર.અ.વ.) ના ઉર્સ ના અવસરે ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું કે, “આ ખીણ સંતો અને વીરોની છે. આજનો દિવસ ખૂબ પાવન છે, કારણ કે બંને ધર્મોના મહાપર્વો એકસાથે આવી રહ્યા છે. ખીણમાં હંમેશા ભાઈચારો રહ્યો છે અને એવી જ શાંતિ અને સમરસતા આખા દેશમાં જોઈએ.”
ફારુક અબ્દુલ્લાએ તણાવની અસરથી માતા વૈષ્ણો દેવીના યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું, “અમે ત્યાં જઈને લોકોને સંદેશ આપવો પડશે કે તણાવથી ડરવાની જરૂર નથી. ભક્તિ અને ભાઈચારા સાથે આપણે આ સંસ્કૃતિને જીવંત રાખવી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, કાશ્મીરી પંડિતોની વાપસી અને સુરક્ષા માટે સતત અપીલ કરવામાં આવી છે. “મહેબૂબા મુફ્તીએ પણ આ અંગે એલ.જી. મનોજ સિન્હાને મળ્યા છે, અને હું સમર્થન આપું છું કે પંડિતોએ પાછા આવીને પોતાની ધરતી પર વસવાટ કરવો જોઈએ.”
ઓમર અબ્દુલ્લાએ પણ બંને પાવન અવસરની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે, “શાહ-એ-હમદાન સાહેબનું શાંતિ અને કરુણાનો સંદેશ આજે પણ અમને માર્ગ બતાવે છે.”
આ રીતે, તણાવ અને ભય વચ્ચે પણ એકતાનો દિપ પ્રગટાવવાનો સંદેશ જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યો છે, જે સમગ્ર દેશ માટે એક મજબૂત સંકેત છે.