હાલ દેશભરમાં જ્ઞાનવાપી મસ્જીદનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જેને લઇ દિવસને દિવસે નવા-નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે સુપ્રિમકોર્ટે આ મુદ્દેને ફરી વારાણસી હાઇકોર્ટમાં પડકાર્યા છે,અને મુદ્દો પેચીદો બનતો જઇ રહ્યો છે. જેને લઇ એક બાદ એક નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે.
સપાના સાંસદ શફિકુર રહેમાન બર્કે કહ્યું કે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ નથી તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે . 2024ની લોકસભા ચૂંટણીના ધ્રુવીકરણ માટે આવા મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઈતિહાસ પર નજર કરશો તો ખબર પડશે કે ત્યાં કોઈ શિવલિંગ નહોતું. આ બધું લોકોને ભાવનાત્મક રીતે ચાલાકી કરવા માટે કરવામાં આવી રહ્યું છે જેથી કરીને તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ધ્રુવીકરણનો લાભ લઈ શકે.
બર્ક રવિવારે સપા પ્રમુખ અખિલેશ યાદવને મળવા લખનઉમાં હતા. જ્યાં તેમણે અયોધ્યામાં મંદિર નિર્માણ પર કહ્યું કે આ બધું શક્તિના જોરે થઈ રહ્યું છે. હું હજી પણ કહીશ કે ત્યાં માત્ર એક મસ્જિદ હતી. તેમણે કહ્યું કે ભાજપના શાસનમાં મુસ્લિમો અને મસ્જિદોને નિશાન બનાવવામાં આવી રહી છે. રાજ્યમાં કાયદાનું શાસન નથી, બુલડોઝરનું રાજ છે જ્યારે દેશ કાયદા અને બંધારણથી ચાલવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસને વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો કે અનુભવી અને વરિષ્ઠ જજ આ મામલાની સુનાવણી કરશે. વારાણસી જિલ્લા કોર્ટના આદેશ વિરુદ્ધ અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે શિવલિંગની સુરક્ષા અને પ્રાર્થનાની મંજૂરી આપવાનો 17 મેનો તેનો વચગાળાનો આદેશ અકબંધ રહેશે.