કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, દેશમાં કોરોના વાયરસ નવેમ્બરથી ફેલાઈ રહ્યો હતો..\ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ 30 જાન્યુઆરીના રોજ કેરળમાંથી સામે આવ્યો હતો. પરંતુ વૈજ્ઞાનિક ભાષામાં કહેવામાં આવે તો ઈન્ડિયન સ્ટ્રેનના MRCA (મોસ્ટ રિસેન્ટ કોમન એન્સેસ્ટર) નવેમ્બર 2019થી ફેલાઈ રહ્યો હતો.
દેશના ટોચની રિચર્સના ટોપ વૈજ્ઞાનિકોએ અંદાજ વ્યક્ત કર્યો છે કે વુહાના નોવેલ કોરોના વાયરસ સ્ટ્રેનના પહેલાનો રૂપ 11 ડિસેમ્બર 2019 સુધી પ્રસાર થઈ રહ્યો હતો. ટાઈમ ટુ મોસ્ટ રિસન્ટ કોમન એન્સેસ્ટ (MRCA)નામની વૈજ્ઞાનિક ટેક્નિકનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ અંદાજ વ્યક્ત કર્યો છે કે, હાલ તેલંગાણા અને બીજા રાજ્યોમાં કોરોના વાયરસનો જે સ્ટ્રેન ફેલાઈ રહ્યો હતો તે 26 નવેમ્બર અને 25 ડિસેમ્બરની વચ્ચે પેદા થયો હતો. તેની એવરેજ તારીખ 11 ડિસેમ્બર છે.
તો સવાલ ઉભો થાય છે કે, શું ભારતમાં 30 જાન્યુઆરીથી પહેલા જ ચીનથી આવનારા યાત્રીઓ મારફચે કોરોના વાયરસની એન્ટ્રી થઈ ગઈ હતી. જેનો જવાબ સ્પષ્ટ નથી કેમકે ત્યારે દેશમાં મોટા પાયે કોવિડ-19ના ટેસ્ટ થઈ રહ્યા નહતા.
સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી (સીસીએમબી)ના વૈજ્ઞાનિકો માત્ર કોરોના વાયરસના ભારતીય સ્ટ્રેનના MRCAની ટાઈમિંગનો અંદાજ જ વ્યક્ત કર્યો નથી પરંતુ એક નવા સ્ટ્રેન કે ક્લેડની પણ શોધ કરી છે જે હાલના સ્ટ્રેનથી અલગ છે. વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા સ્ટ્રેનને ‘ક્લેડ એ3આઈ’ નામ આપ્યું છે.
કેરળમાંથી સામે આવેલા ભારતના પહેલા કોરોના કેસનો સ્ટ્રેન વુહાનથી જોડાયેલો હતો પરંતુ હૈદરાબાદમાં કોરોનાના જે નવા સ્ટ્રેનની શોધ થઈ છે તેની ચીન નહીં પરંતુ દક્ષિણ-પૂર્વ એશિયાના કોઈ દેશની છે. સીસીએમબીના ડિરેક્ટર રાકેશ કે મિશ્રાએ જણાવ્યું કે, નવા સ્ટ્રેન કોઈ દેશથી પેદા થયો છે કે નહીં તેની હજુ સુધી જાણ થઈ નથી પરંતુ આ ચીનનો નથી, દક્ષિણ-પૂર્વ એશિયાના કોઈ દેશનો છે.