આજે લાગૂ લૉકડાઉન 5.0નો આજે પ્રથમ દિવસ છે. ગૃહમંત્રાલયની ગાઈડ લાઈન મુજબના નિયમો આજથી સમગ્ર દેશમાં લાગૂ થઈ ગયા છે. જે 30-જૂન સુધી યથાવત રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5ને અનલૉક-1 નામ આપવામાં આવ્યું છે. જો કે નવી ગાઈડલાઈન પ્રમાણે, કેન્દ્ર સરકારે 1-જૂનથી લૉકડાઉનમાં મહદઅંશે છૂટ આપી દીધી છે. અનેર રાજ્યોએ અન્ય રાજ્યોમાં અવરજવર કરનારા લોકો માટે સરહદો ખોલી દીધી છે અને ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટને મંજૂરી મળી ગઈ છે.
બીજી તરફ કોરોનાના સતત કેસો વધવાને પગલે મહારાષ્ટ્ર અને તમિલનાડુએ તેની મંજૂરી નથી આપી. જ્યારે ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોએ 31-મે બાદ પણ ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.