Flight cancellations India અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સહિત આટલી બધી ફલાઈટ રદ્દ, અન્ય ફલાઈટ ડિપ્લાન્ડ અથવા પરત બોલાવાઈ, આ છે કારણો
Flight cancellations India ગુજરાતના અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ટેકનિકલ ખામી જણાયા બાદ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI159 દિલ્હીથી અમદાવાદ આવી હતી. અહીંથી લંડન જવાનું હતું. ફ્લાઇટ ટેકઓફ થાય તે પહેલાં જ ટેકનિકલ ખામી જણાય આવી હતી. આ પછી ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજે બે વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ
આજે વહેલી સવારે સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ વાયા કોલકાતા જઈ રહેલા વિમાનના પાયલોટે એન્જિનમાં ઓવરહિટીંગની સમસ્યાને કારણે ફ્લાઇટ રદ કરી હતી. કોચીથી દિલ્હી જઈ રહેલા વિમાને નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. બોમ્બ હોવાની માહિતી મળતાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
સોમવારે પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી
સોમવારે પણ એર ઇન્ડિયાની બે ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે પરત ફરવી પડી હતી. દિલ્હીથી રાંચી જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ પાઇલટે તેને દિલ્હી પાછી લઈ લીધી હતી. અગાઉ, હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI315 ટેકનિકલ ખામીને કારણે હોંગકોંગમાં પાછી લેન્ડિંગ કરી હતી.
એર ઇન્ડિયા અમદાવાદ → લંડન ફ્લાઇટ રદ
એર ઇન્ડિયા હોંગકોંગ → દિલ્હી ફ્લાઇટ પરત
એર ઇન્ડિયા મુંબઈ → અમદાવાદ રદ
એર ઇન્ડિયા સાન ફ્રાન્સિસ્કો → કોલકાતા → મુંબઈ ડિપ્લાન્ડ
એર ઇન્ડિયા એક્સપ્રેસ દિલ્હી → રાંચી ટેકઓફ પછી તરત જ પરત
એર ઇન્ડિયા ફુકેટ → નવી દિલ્હીએ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું
સંભવતઃ બધા બોઇંગ જેટ
રવિવારે પણ ફ્લાઇટ્સ રદ
રવિવારે પણ બે ફ્લાઇટ્સમાં ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી હતી. લંડનના હીથ્રો એરપોર્ટથી ચેન્નાઈ જતી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટને થોડીવાર પછી હીથ્રો પરત લાવવામાં આવી હતી. જ્યારે બોઇંગ 787-8 ડ્રીમલાઇનર 15 હજાર ફૂટની ઊંચાઈ પર હતું, ત્યારે ફ્લૅપ સિસ્ટમમાં સમસ્યાના સંકેતો મળ્યા હતા.
જેદ્દાહથી લખનૌ એરપોર્ટ પર ઉતરેલા સાઉદી અરેબિયન વિમાનના પૈડામાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. એરક્રાફ્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઇટિંગ (ARFF) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાઉદી અરેબિયન ટીમ સાથે મળીને ધુમાડાને કાબુમાં લીધો હતો. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા.
12 જૂનના રોજ થયેલા અકસ્માતમાં 279 લોકોના મોત
12 જૂનના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. ટેકઓફ કર્યાના થોડા સમય પછી જ વિમાનને અકસ્માત થયો. વિમાન એરપોર્ટ નજીક એક મેડિકલ હોસ્ટેલમાં અથડાયું. આ અકસ્માતમાં 279 લોકોએ જીવ ગુમાવ્યા. આ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. જે મેડિકલ હોસ્ટેલ સાથે વિમાન અથડાયું હતું તેના 38 લોકોએ પણ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી શક્યો હતો.