અમદાવાદ અને વારાણસી વચ્ચે ફ્લાઇટ શરૂ થઇ ગઇ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીને અમદાવાદ સાથે જોડતી સીધી વિમાનસેવાનો પ્રારંભ થયો છે.ગુરૂવારથી શરૂ થયેલી આ વિમાની સેવાના કારણે વારાણસીના લોકોને અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ સહિત અન્ય સ્થાનો પર જવા માટે સરળતા રહેશે.
અમદાવાદ-વારાણસી વચ્ચે પહેલીવાર સ્પાઇસજેટની ફ્લાઇટ અમદાવાદથી સવારે 7.30 કલાકે ઉડાન શરૂ કરીને 9.15એ વારાણસીના બાબતપુર એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ વિમાનમાં અમદાવાદથી વારાણસી પહોંચેલા 180 યાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પછી સવારે 9.55 કલાકે ફરીથી અમદાવાદ આવવા માટે રવાના થયું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.