મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં રાજ્ય સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી અશોક ચૌહાણ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. 24 મે, રવિવારની રાતના રિપોર્ટમાં તે કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અશોક ચૌહાણ નાંદેડમાં હતા અને હવે તેમને સારવાર માટે મુંબઇ ખસેડાયા છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જિતેન્દ્ર અવહાડને પણ કોવિડ -19 ચેપ લાગ્યો હતો. બે અઠવાડિયાથી વધુ સમય માટે તેને મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તે ચેપમુક્ત થઇ ઘરે પરત ફર્યા છે.
મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 50 હજારને વટાવી ગઈ
તે જ સમયે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 3,041 નવા કેસ નોંધાતા રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50 હજારને પાર થઇ ગઈ છે. રાજ્યમાં નવા કેસોની આ સંખ્યા કોઈપણ એક દિવસ માટેનો ઉચ્ચતમ સ્તર છે. અધિકારીએ જણાવ્યું હતું કે, રોગચાળાને કારણે મૃત્યુ પામેલા 58 લોકોસાથે મૃત્યુની સંખ્યા વધીને 1635 થઈ ગઈ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હવે કેસની કુલ સંખ્યા 50,231 પર પહોંચી ગઈ છે. હાલમાં 33,988 દર્દીઓ સારવાર હેઠળ છે. 1,196 દર્દીઓ સ્વસ્થ થયા પછી કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા હવે વધીને 14,600 થઈ ગઈ છે.