દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી વર્તમાન સમયમાં કોમામાં જતા રહ્યા છે. તેઓ સતત વેન્ટિલેટર સપોર્ટ પર છે. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલને મેડિકલ બુલેટીન જારી કરીને કહ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ છેલ્લા 16 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે અને બ્રેઈન સર્જરી બાદ ગંભીર સ્થિતિમાં છે.
આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં સંક્રમણ થઈ ગયુ છે. જેની સારવાર સતત કરવામાં આવી રહી છે. ત્યાં તેમની કિડનીની સ્થિતિ મંગળવારથી ઠીક નથી. આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના ફેફસામાં સંક્રમણ થઈ ગયુ છે. જેની સારવાર સતત કરવામાં આવી રહી છે. તેમની હાલત હીમોડાયનેમિકલી સ્ટેબલ થઈ ગઈ છે. હીમોડાયનેમિકલી સ્ટેબલ હોવાનો અર્થ એ છે કે દર્દીનું હૃદય સારી રીતે કામ કરી રહ્યુ છે અને શરીરમાં લોહીનો સંચાર સામાન્ય છે.