રિઝવ બેંકના પૂર્વ ગર્વનર ઉર્જીત પટેલને ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક ફાઈનેંસ એંડ પોલીસીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યાં છે. ઉર્જીત પટેલ આ પગેલા આ પદ ઉપર વિજય કેલકર હતાં. કેલકરે 2014માં પદ સંભાળ્યું હતું. ઉર્જીત પટેલ 22 જૂને એનઆઈપીએફપીના ચેરમેનનનું પદ સંભાળશે.
આ અંગેની જાણકારી આપતા એનઆઈપીએફપીએ નિવેદનમાં જણાવ્યું છે કે, અમને એ વાતની ખુશી છે કે રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર ઉર્જીત પટેલ 22 જૂન, 2020થી ચાર વર્ષ માટે સંસ્થાના ચેરપર્સનના રૂપમાં અમારી સાથે જોડાશે. વર્ષ 2018વા ડિસેમ્બર મહિનામાં ઉર્જીત પટેલે આરબીઆઈ ગર્વનરનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામુ આપી દીધું છે. તેમણે તેમનુ રાજીનામું કેન્દ્રીય બેંકના બોર્ડમાં મહત્વપૂર્ણ બેઠકથી પહેલા આપી દીધું છે. આ બેઠકમાં સરકાર સાથે મતભેદોને દુર કરવા ઉપર વાતચીત થનારી હતી. પટેલનો ત્રણ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર, 2019માં પૂર્ણ થતું હતું. તે બીજા કાર્યકાળ માત્ર યોગ્ય પણ હતા. પરંતુ ઉર્જીત પટેલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ હોવાનું જણાવ્યું હતું. ઉર્જીત પટેલના રાજીનામાં બાદ શક્તિકાંત દાસે રિઝર્વ બેંકનું ગર્વનર પદ સંભાળ્યું છે.