૧૨ સાયન્સ ઉતીર્ણ કરનાર તેજસ્વી તારલાઓ માટે ખુશ થવાય તેવી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં આગામી વર્ષથી મેડિકલ પ્રવેશ માટે NEET અને એન્જીનીયરીંગ પ્રવેશની JEE Main પરિક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવશે. જેમાં NEETની પરીક્ષા દર વર્ષે ફેબ્રુઆરી અને મે મહિનામાં અને JEE Mainની પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં યોજવામાં આવશે. જ્યારે નેટની પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સમાં આ જાહેરાત કરી છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આગામી વર્ષથી મેડિકલ પ્રવેશ માટે NEET અને એન્જીનીયરીંગ પ્રવેશની JEE Main પરિક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવશે. જેમાં NEETની પરીક્ષા દર વર્ષે ફેબ્રુઆરી અને મે મહિનામાં યોજાશે. તો JEE Mainની પરીક્ષા દર વર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં યોજવામાં આવશે. જ્યારે નેટની પરીક્ષા ડિસેમ્બરમાં લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, NEET, JEE, NETની પરીક્ષાઓનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી કરશે. અત્યાર સુધી આ પરીક્ષાઓની જવાબદારી સીબીએસઈ પર હતી. પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, NEET અને JEEમાં પ્રવેશ માટે બન્ને વખતમાં સૌથી વધુ ગુણાંક પર વિચાર કરવામાં આવશે. તેના સિવાય સિલેબસ અને અન્ય તમામ ઔપચારિકતાઓ પહેલાની જેમ જ રહેશે. અત્યારે આ પરિક્ષાઓ વર્ષમાં એક જ વાર લેવામાં આવે છે. જેમાં ઉતીર્ણ નહીં થનાર અથવા ઓછા ગુણાંક સાથે મેરીટ પ્રાપ્ત નહીં કરનાર વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન ઘરે બેસી રહીને ફરી આ જ પરિક્ષાની જ તૈયારી કરવી પડે છે. તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઘણી રાહત મળવા સાથે તેમને ઝડપથી અન્ય વિકલ્પ પસંદ કરવાની તક પણ મળશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.