રાજસ્થાન સરકારે રાજ્ય ન્યાયિક સેવામાં ગુર્જર સહિત અન્ય પછાત વર્ગોને અનામત અંતર્ગત સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ છે કે, સરકારે ન્યાયિક સેવા નિયમ 2010માં સંશોધન કર્યુ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભલામણ પર એક ટકાની જગ્યાએ હવે પાંચ ટકા અનામત આપવાની પહેલ કરવામાં આવી છે.
અન્ય પછાત વર્ગોના ઉમેરવારો લાંબા સમયથી ન્યાયિક સેવામાં નિયમોમાં સંશોધનની માગ કરી રહ્યા હતા. જેથી તેમને ન્યાયિક સેવામાં એક ટકાની જગ્યાએ પાંચ ટકા અનામત મળી શકે. અતિ પછાત વર્ગોમાં ગુર્જર, રાયકા રબારી, લુહાર, વણજારા અને ગાડરીયા સામેલ છે.