કૉંગ્રેસ દ્વારા સોમવારે આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશન (જીએસપીસી -GSPC)ને બચાવવા માટે સરકાર દ્વારા RBIના નવા પરિપત્રનો કોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો હતો. GSPCને નાદાર જાહેર થતી અટકાવવા માટે સરકારે આ વિરોધ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. કૉંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશ જણાવ્યું હતું કે આઝાદ ભારતમાં પહેલી વાર ભારત સરકારે RBIના પરિપત્રને કોર્ટમાં પડાકાર્યો હતો. સરકાર અને RBI વચ્ચે હંમેશાં મતભેદો રહ્યા છે, પરંતુ તે કોર્ટની ન્યાય પ્રક્રિયા સુધી કદી પહોંચ્યા નહોતા.
12 ફેબ્રુઆરીના રોજ RBI દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે જે કોઈ પણ કંપનીનું દેવું 2000 કરોડથી વધારે હોય અને તે 180 દિવસમાં તેને ભરપાઈ ન કરે તો તેને નાદાર જાહેર કરવામાં આવશે. આ પરિપત્રને કેટલીક કંપનીઓ દ્વારા અલ્હાબાદ હાઈ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમાં દલીલ કરવામાં આવી હતી કે 180 દિવસનો સમય ઓછો છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.