ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા સમય પહેલાં શાળાઓની ફી નિયમન મુદ્દે વાલીઓની તરફેણમાં ચૂકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું શાળા સંચાલકો પોતાની મનમાની ચલાવીને ફી વસૂલી શકશે નહીં. આ કાયદાને લઈને સરકાર દ્વારા પણ સકારાત્મકતા દર્શાવવામાં આવી હતી અને સરકારે હાઈકોર્ટના આ નિર્ણયને આવકારો આપ્યો હતો. પરંતુ આમ છતાં CBSE દ્વારા શાળાની ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.
CBSE દ્વારા શૈક્ષણીક સત્ર ૨૦૧૮-૧૯ માટે ફીના માળખાની જાહેરાત કરવામાં આવી છે. હાઈકોર્ટનો આદેશ હોવા છતાં CBSE દ્વારા ફીમાં ૧૦થી ૧૫ ટકાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે નવા શૈક્ષણિક સત્રમાં વાલીઓને ૧૮ હજારથી લઈને ૪૧ હજાર રૂપીયા સુધીની ફી શાળામાં ભરવી પડશે.
મહત્વનું છે હાઈકોર્ટના આદેશ બાદ કેટલાક વાલી મંડળોએ પોતાનો વિરોધ વ્યકત કરતા જણાવ્યું હતું કે હાઈકોર્ટ દ્વારા ફીના માળખા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે વાલી મંડળો દ્વારા માંગણી કરાઈ હતી કે હાઈકોર્ટ દ્વારા ફીના માળખાને લઈને યોગ્ય નિર્ણય આપવામાં આવે.
હાલ તો CBSEઅે ફીમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો કર્યો છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.