દેશમાં અપ્રત્યક્ષ કરના ક્ષેત્રમાં આઝાદી બાદ સૌથી મોટા કર સુધારા જીએસટી પ્રણાલી લાગુ થયા બાદ ઓક્ટોમ્બર અને નવેમ્બરમાં કર સંગ્રાહમમાં સતત ઘટાડો થવાથી કેન્દ્ર સરકારની પરેશાનીમાં વધારો થાય છે. આવક વસુલીના ઘટાડાની રાજ્ય સરકારોની આર્થિક પરિસિથતિ ઉપર કોઇ અસર નહી પડે કારણ કે જો વસુલાતમાં ઘટાડો થાય તેઓને કેન્દ્ર સરકાર તરફથી માત્ર ચાલુ વર્ષ માટે જ નહી પરંતુ આવતા પાંચ વર્ષ દરમિયાન પણ તેની ભરપાઇ કરી દેવામાં આવશે. આ પ્રકારની કર વસુલાતમાં ઘટાડાથી કેન્દ્ર બેવડી મુસીબતમાં જણાઇ રહ્યુ છે તેથી આ સ્થિતીને નિપટવા માટે રણનીતી બનાવવાની શરૂઆત થઇ ચુકી છે એટલુ જ નહી સરકારે જીએસટી પરિષદની 25મી બેઠકની તારીખની જાહેરાત પણ કરી છે કે જેથી કોઇ મોટો નિર્ણય લેવો હોય તો જીએસટી પરિષદની પરવાનગીની જરૂર રહેતી હોય છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.