ભારતમાં વેક્સિનની અછત વચ્ચે કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડી નાંખ્યું છે અને હવે કોવિન ડીજીટલ પોર્ટલ પર તેની જાણ કરી દેવામાં આવી છે. હવે જે વ્યક્તિ એ પ્રથમ ડોઝ લીધો હતો તેણે 12 થી 16 સપ્તાહ એટલે કે ત્રણ થી ચાર મહિના પછી બીજો ડોઝ લેવાનો રહેશે. આ ઓનલાઇન પ્લેટફોર્મમાં સુધારો કરી દેવામાં આવ્યો છે. પહેલો ડોઝ લેવા માટે કરાવવામાં આવેલું રજીસ્ટ્રેશન બીજા ડોઝ માટે માન્ય રહેશે. એટલે કે નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત રહેશે નહીં. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ડિજીટલ પ્લેટફોર્મ કોવિન પોર્ટલ પર જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. ટેકનિકલી આ સુધારા કરવા માટે આ પોર્ટલ બે દિવસ બંધ રહ્યું હતું અને તેના પરથી રજીસ્ટ્રેશન થઇ શકતું ન હતું પરંતુ હવે આ પોર્ટલ અપડેટ્સ કરી દેવામાં આવ્યું છે. જે લોકો નિયત સમય પહેલાં વેક્સિનેશન સેન્ટર પર જશે તેમને પાછા મોકલી દેવામાં આવશે. જે લોકોએ પહેલા ડોઝ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમને 84 દિવસ પછી બીજો ડોઝ અપાશે.
Saturday, May 18