ભારત દેશ અત્યારે કોરોનાની બીજી લહેરને પરિણામે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. તેવામાં આ મહામારીને નાથવામાં માટે દેશનાં વિવિધ રાજ્ય પણ અલગ-અલગ રણનીતિ બનાવતા હોય છે. અત્યારે મોટાભાગનાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લોકડાઉન લાદવામાં આવ્યું છે. તેથી જ આ પરિસ્થિતિ અંગે ICMR નાં હેડ ડૉ. બલરામ ભાર્ગવે સલાહ આપી હતી કે જે પણ જિલ્લામાં કોરોનાનો સંક્રમણ રેટ 10 ટકાથી વધુ હોય ત્યાં 6 થી 8 સપ્તાહનું લોકડાઉન લાદવું અત્યંત આવશ્યક છે. ભાર્ગવે મંગળવારનાં રોજ જણાવ્યું હતું કે અત્યારે ભારત દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકાની આસપાસ છે. 734 માંથી 310 જિલ્લામાં આ રેટ સમાંતર છે અથવા તો આના જેટલો જ છે.
બીજી લહેરની ચેન તોડવા માટે 31મી મે સુધી લોકડાઉન લંબાવાયુ
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ચેન તોડવા માટે 31મી મે સુધી લોકડાઉન લંબાવાયુ છે. જોકે, જીવનજરૂરી ચીઝવસ્તુની દુકાન ખુલી રાખવાની છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં 10મી મે સુધી કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી વધુ
જે બાદ ફરીવાર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ સાથે મૃત્યુદરમાં પણ વધારો થયો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો રિકવરી રેટ 88.01 ટકા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી વધુ છે. તો બીજી તરફ કોરોનાની રસી માટે રસીકરણ અભિયાનમાં ગતિ લાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ભારતના કુલ પોઝેટિવ કેસની સંખ્યા 2 કરોડ 33 લાખ 40 હજાર 938 એ પહોંચી
વિશ્વના અનેક દેશો આજે કોરોનાના ભરડામાં છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં ભારતના કોરોના કેસોની વાત કર્યે તો 3 લાખ 48 હજાર 421 નવા કેસ સામે આવ્યા છે.જ્યારે ભારતના કુલ પોઝેટિવ કેસની સંખ્યા 2 કરોડ 33 લાખ 40 હજાર 938 એ પહોંચી હતી અને 4 હજાર 205 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા. જેથી કુલ મોતનો આકડો 2 લાખ 54 હજાર 197એ પહોચ્યો હતો.