કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક સભામાં કહ્યું હતું કે અમે સત્તા પર આવીશું તો હાલ ખાલી પડેલા 22 લાખ સરકારી હોદ્દા એક વર્ષમાં ભરી દઇશું. એક વર્ષમાં અમે 22 લાખ બેકારોને નોકરી આપીશું.
કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાક સમયથી એવાં વિધાનો કરતો રહ્યો છે કે નરેન્દ્ર મોદીના શાસનમાં બેકારી વધી છે. અમે સત્તા પર આવીએ તો આવતા વર્ષના માર્ચની 31મી પહેલાં 22 લાખ નોકરી આપીશું.
રાજ્યોને શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કેન્દ્ર દ્વારા અપાનારી આર્થિક સહાય સાથે આ ખાલી સ્થાનેા ભરવાના કાર્યને જોડી દેવામાં આવશે.રાહુલે કહ્યું કે દેવામાં ડૂબેલા ખેડૂતો બેકારોને રોજી રોટી આપવાના મુદ્દે નેરેન્દ્ર મોદીની સરકાર સાવ નિષ્ફળ નીવડી હતી.