લદ્દાખમાં ભારત ચીનના સૈનિકોની ઘુસણખોરી ચીનને આર્થિક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યુ છે. જેના કારણે બંન્ને દેશના વ્યાપારને પણ વ્યાપક અસર થઇ રહી છે.
ઓટોમોબાઇલ, ફાર્માસ્યુટીકલ, કોસ્મેટિકની વસ્તુ બનાવવાથી લઇને દરેક ક્ષેત્રના વ્યાપારમા લાગી રહ્યુ છે કે, આ બંન્ને દેશોની વચ્ચેના સંબંધો સુધરશે નહીં તો આવનારા સમયમા મોટો આર્થિક ફટકો લાગી શકે છે. ભારત અને ચીનના આયાત-નિકાસના જાણકારોનુ કહેવુ છે કે, કોવિડ-19થી અર્થવ્યવસ્થાને જેટલી અસર થઇ છે, તેનાથી વધારે આર્થિક સંકટ આવનારા ભવિષ્ચમા જોવા મળશે.
આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના સપના પૂરા કરવા માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલનુ મુખ્ય ફોક્સ ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવુ અને ચીનની આયાતને ઘટાડવી. તેને લઇને આ વ્યાપારી ક્ષેત્રના કેટલાક સંગઠનો અને સંસ્થાઓ આ બાબતની ચર્ચા કરી રહ્યા છે.