લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજનૈતિક પાર્ટીઓ અને નેતા એકબીજા પર હુમલા કરવામાં કોઈ કચાસ બાકી રાખવા નથી માંગતા. આ વખતે ભાજપની નજર પશ્ચિમ બંગાળમાં સારું પરિણામ લાવવા તરફ છે. તો ત્યાંના જ મુખ્યમંત્રી કોઈ પણ ભોગે ભાજપને હરાવવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે.
ગુરૂવારે કૂચબિહારમાં યોજાયેલી એક રેલીમાં દીદીએ મોદી પર તીખા હુમલા કર્યા હતા. દીદીએ કહ્યું કે જો મોદી ફરી સત્તામાં આવ્યા તો તે સંવિધાનને ત્યાગી દેશમાં એકહથ્થુ સાશન લાવશે. અને જો આમ થયું તો આ ચૂંટણી દેશની અંતિમ ચૂંટણી હશે.
મમતાએ કીધું કે મોદીના ત્રણ નારા છે – લુંટ, તોફાન અને લોકોની હત્યા. તેમણે મોદીના ” મે ભી ચોકીદાર” કેમ્પેઈનનો મજાક ઉડાવતા કહ્યું કે ૨૦૧૪ની ચૂંટણીના વાયદાઓ પણ પુરા કર્યા નથી. અને લોકોને મુર્ખ બનવા “ચોકીદાર” બની ગયા છે.