જો તમારી પાસે આધાર નંબર છે, તો પરમેનેન્ટ એકાઉન્ટ નંબર પ્રાપ્ત કરવા માટે લાંબી પ્રોસેસમાંથી છૂટકારો મળી જશે. આ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કરતા નવી વ્યવસ્થાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે, “આધાર”ના આધારે તત્કાલ PAN માટે ઓનલાઈન આવેદન અંગેની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. આ માટે કોઈ અરજીનું ફોર્મ ભરવાની જરૂરત નહી રહે.
બજેટ 2020 રજૂ કરતા નિર્મલા સીતારમણે જણાવ્યું કે, ટેક્સ પેયર્સના આધાર બેસ્ડ વેરિફિકેશનની પણ શરૂઆત કરવામાં આવી રહી છે. કરદાતાની સુવિધા માટે જલ્દી એક સિસ્ટમ લોન્ચ કરવામાં આવશે. આધાર મારફતે ત્વરીત ઓનલાઈન PAN અરજી કરી શકાછે. આ માટે એપ્લિકેશન ફોર્મ ભરવાની કોઈ જરૂરિયાત નહી હોય.
ઈન્કમટેક્સ કાયદા પ્રમાણે, કોઈ પણ વ્યક્તિને ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતા સમયે પોતાનો આધાર નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી છે. 31 માર્ચ 2020 સુધી PAN અને આધાર પર લિન્ક કરવું અનિવાર્ય છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ બે એજન્સીઓ NSDL અને UTI-IISL મારફતે PAN કાર્ડ આપે છે.
ઈન્કમટેક્સ ફાઈલિંગ ઉપરાંત PAN કાર્ડની જરૂરિયાત બેંક એકાઉન્ટ ખોલવા અને નાણાંકીય લેવડ-દેવડ વગેરે માટે જરૂરી છે. PAN-10 અંકો ધરાવતું એક ઓળખ પત્ર છે. જે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે.