પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકાર પોતાના ઘરનું સ્વપ્ન જોનારાને મદદ મળી રહી છે. સરકાર લાભાર્થીઓ લોન પણ આપી રહી છે. તેની સાથે જ 2.67 લાખ રૂપિયા સુધી સબ્સિડીનો ફાયદો આપ્યો છે. તેવામાં અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેમાં આવાસ નિર્માણ માટે દેવામાં આવેલી રકમનો ઉપયોગ નિર્માણ માટે નથી થતો પરંતુ અન્ય જરૂરતોને પુરા કરવા માટે વાપરવામાં આવે છે. પીએમ આવાસ યોજનાના નિયમો પ્રમાણે આવાસ નિર્માણને લઈને દેવામાં આવેલી રકમનો ઉપયોગ ઘરના નિર્માણની સાથે જોડાયેલા કામો માટે કરવો જોઈએ. આ શરત અનિવાર્ય રૂપથી દરેક લાભાર્થી ઉપર આ લાગુ પડે છે. જો આવુ નથી થતું તો લાભાર્થીઓ સામે સરકારી રકમનો દુરપયોગ કરવાનો કેસ દાખલ થઈ શકે છે. જો કે, આ પહેલા લાભાર્થીઓને સુચના આપવામાં આવશે કે તે આવાસ નિર્માણ માટે આપવામાં આવેલી રકમનો ઉપયોગ ઘર બનાવવા માટે કરે, પરંતુ જો તે આવું નથી કરતા તો તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. લાભાર્થીઓને લાગે છે તે રકમ મળ્યા બાદ તેના ઉપર સરકાર નજર રાખતી નથી. પરંતુ જ્યારે જાણકારી મળે છે ત્યારે તેના ઉપર એક્શન જરૂર લેવામાં આવે છે તો કોઈ અપાત્ર વ્યક્તિ ખોટી જાણકારી દઈને તેનો લાભ લઈ રહ્યો છે તો તેવી વ્યક્તિઓ ઉપર નિયમાનુસાર એક્શન લેવામાં આવશે.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.