કોરોના વાયરસના લક્ષણ હોય એવા વ્યક્તિઓ ઇબ્રુફેન ના લો તેની જગ્યાએ પેરાસિટામોલનો ઉપયોગ કરો. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ આ દાવાના સમર્થનને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ પણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રના આ સ્વાસ્થ્ય સંગઠનના નિષ્ણાંતોએ કહ્યું છે કે તેની પર તે આગળ નિર્દેશ જારી કરશે.
WHOના એક નિષ્ણાંતે કહ્યું જો પોતે દવા લઇ રહ્યા છો તો અમે સલાહ આપીશું કે પેરાસિટામોલનો ઉપયોગ કરો , ઇબ્રુફેન નહીં. તેમણે એવું પણ કહ્યું કે જો ઇબ્રુફેન લેવાની સલાહ ડોક્ટરે આપી છે તો તેમની પર નિર્ભર છે.
જ મેડિકલ જર્નલ લેંસેટમાં પ્રકાશિત એક અધ્યયન મુજબ, એન્ટી-ઇન્ફલેમેટરી ડ્રગ્સ જેવા ઇબ્રુફેનથી વધનારા એક એન્જાઇમ કોવિડ-19 સંક્રમણને વધારી શકે છે. તે બાદ ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ પણ ચેતાવણી આપી છે કે કોવિડ-19ના સંભવિત દર્દીઓ આ દવાનો ઉપયોગ ન કરો. આ દવા તાવ, દુખાવો, કે સોજામાં લોકો કાઉન્ટર પર ખરીદીને ખાય છે.
મંત્રીએ કહ્યું કે જો તાવ હોય તો પેરાશિટામોલ લો. એવું પણ કહ્યું છે કે જે દર્દીઓ પહેલાથી એન્ટી ઇન્ફલેટમેટરી દવા લઇ રહ્યા છે તે તેમના ડોક્ટરથી સલાહ લો.