કોરોના રોગચાળાના વધી રહેલા ચેપ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે. કમિશને કાયદા અને ન્યાય મંત્રાલયના સુધારાને મંજૂરી આપી દીધી છે, જે હેઠળ 65 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને હોમ / ઇન્સ્ટિટ્યુશનલ ક્યુરેન્ટાઇન હેઠળ રહેલા કોવિડ -19 દર્દીઓ માટે પોસ્ટલ બેલેટ સુવિધા આપવામાં આવશે.
નોંધનીય છે કે અગાઉ, પોસ્ટલ બેલેટનો અધિકાર 80 વર્ષ સુધીના વૃદ્ધ અને અપંગ વ્યક્તિઓ માટે ઉપલબ્ધ હતો. ગયા વર્ષે 22 મી ઓક્ટોબરે કાયદા મંત્રાલયે એક જાહેરનામાં અનુસાર, ચૂંટણીમાં મત ટકાવારી વધારવા માટે 80 અને તેથી વધુ વયના વૃદ્ધો અને જુદી જુદી રીતે અસક્ષમ મતદારો માટે પોસ્ટલ બેલેટ પેપરની સુવિધા આપી હતી. તે સમયે, મંત્રાલયે બેલેટને મતદાન કરવાનો અધિકાર આપવા માટે ચૂંટણી માર્ગદર્શિકા નિયમો 1961 માં સુધારો કર્યો હતો અને તેમને ‘ગેરહાજર મતદારો’ ની કેટેગરીમાં શામેલ કર્યા હતા.હાલમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આ નવા કાયદાનો ઉપયોગ આગામી બિહારની ચૂંટણીમાં થઈ શકે છે.