PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં સ્મોલ સેવિંગ સ્કીમના વ્યાજના દર 70થી 140 બેસિસ પોઇન્ટથી ઘટાડ્યા છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)એ વ્યાજ દરમાં 0.80%નો ઘટાડો કર્યો છે. તેમજ, કિસાન વિકાસ પત્ર પર વ્યાજ દર 0.70% ઘટાડીને 6.9% કરાયો છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સ પરના વ્યાજ દરમાં ત્રિમાસિક ધોરણે સુધારો કરવામાં આવે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)એ વ્યાજ દરમાં 1.10%નો ઘટાડો કર્યો છે. હવે આ સ્કીમમાં રોકાણ પર રોકાણકારોને 6.8%ના દરે વ્યાજ મળશે. 5 વર્ષના રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દરમાં સૌથી વધુ ઘટાડો કરાયો છે, જે 1.40% છે. હવે આ સમયગાળાની RD 5.8%ના દરે વ્યાજ મળશે. તેમજ, 5 વર્ષની ટાઇમ ડિપોઝિટ પરવ 6.7% વ્યાજ આપવામાં આવશે. આ સ્કીમમાં વ્યાજના દરમાં 1%નો ઘટાડો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે. RBIએ 27 માર્ચે કોરોના વાઇરસથી થતા આર્થિક ઘટાડાને પહોંચી વળવા તેના મુખ્ય વ્યાજ દરમાં 75 બીપીએસનો ઘટાડો કર્યો હતો.


Satya Day News
Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.