આજે લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરવા દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. જેમાં ભવિષ્યની યોજનાઓ પર વાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે વીજળીના મીટરો બદલવાની વાત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં સમગ્ર દેશમાં વીજળીના પ્રી પેડ મીટર લગાવવામાં આવશે. જેની મદદથી સપ્લાયર અને કિંમત ચૂકવવાનો વિકલ્પ પણ હશે. બજેટમાં નાણામંત્રીએ 22 હજાર કરોડ રુપિયા ઉર્જા ક્ષેત્રને ફાળવ્યા છે.
આ યોજના અંતર્ગત જૂના મીટરોને ધીમે-ધીમે દૂર કરવામાં આવશે. પ્રી શે, મીટરો મારફતે વીજળી કંપનીઓ પસંદ કરવાની સ્વતંત્રતા મળશે. આ યોજનાની જાહેરાત કરતા નિર્મલા સીતારમણે જણાવ્યું કે, હું તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આગામી 3 વર્ષોમાં જૂના મીટરો બદલીને નવા પ્રી પેડ સ્માર્ટ મીટર લગાવવા માટેનો આગ્રહ કરૂ છું. જેનાથી ગ્રાહક પોતાની સુવિધાના હિસાબે કંપની અને કિંમત પસંદ કરી શકે છે. સીતારમણે જણાવ્યું કે, આ સૌ કોઈને વીજળી આપવાની દિશામાં મહત્વનું પગલું છે. ડિસ્કૉમમાં ફેરફાર માટે 22,000 કરોડ રુપિયા પાવર અને અક્ષય ઉર્જા માટે ફાળવવામાં આવી રહ્યાં છે.
જણાવી દઈએ કે, પ્રી પેડ મીટરના પ્લાન પર કેન્દ્ર સરકા ઘણાં સમય પહેલાથી જ કામ કરી રહી છે. વર્ષ 2018માં પણ સરકારે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સરકારે 2020 સુધી તમામ મીટરો બદલવાનું લક્ષ્ય રાખ્યું છે.