બેરોજગારી મુદ્દે વિપક્ષ દ્વારા અવારનવાર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોદી સરકાર જોબ ડેટામાં ફેરફાર કરવા જઇ રહી છે. દેશના એમ્પ્લોયમેન્ટ ડેટામાં ઓલા અને ઉબેરના ડ્રાઇવર્સ, રજિસ્ટર્સ પ્રોફેશનલ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરી, મેડિકલ પ્રેક્ટિશનર્સ અને ઇ-કોમર્સ ફર્મમાં ડિલિવરી મેન તરીકે કામ કરી રહેલા લોકોને પણ સમાવવામાં આવશે. જોબ ડેટાની કમી દૂર કરવા માટે સરકાર હવે ટેક્નિક આધારિત રસ્તો અપનાવશે.
નીતિ આયોગની ડેટા એનાલિટિક્સ ડેના એનાલિટિક્સ સેલ દ્વારા કેબ સર્વિસમાં કામ કરી રહેલા ડ્રાઇવર્સ, પ્રેક્ટિસ કરી રહેલા વકીલ, ICAI, મેડિકલ કાઉન્સિલ વગેરેનો ડેટા એકઠો કરશે. નીતિ આયોગના એક અધિકારીએ જણાવ્યું કે, ‘અમે દેશના પેરોલ ડેટા ભેગો કરી રહ્યા છીએ, જેનાથી રોજગારીના આંકડા પર અસર પડશે જે ઇપીએફઓ અને ઇએસઆઇસીથી અલગ હશે.’
અધિકારીએ જણાવ્યા મુજબ ઓક્ટોબર માસની શરુઆતમાં રોજગારીના નવા આંકડા આવશે. ‘હરીફોને કારણે કંપની સાચી માહિતી આપવામાં પીછેહઠ કરી રહી હોવાથી આ આંકડા ભેગા કરવામા અમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.’ અન્ય એક અધિકારીએ કહ્યું કે આ પ્રક્રિયામાં સમય લાગશે. સરકારના આ પગલાંથી જોબ ડેટામાં મોટો બદલાવ આવશે. આ મુદ્દા પર ત્યારે વિવાદ થયો જ્યારે બે એક્સપર્ટ્સને EPFOના ડેટાનું એક્સેસ આપવામાં આવ્યું. અમુક નિષ્ણાંતોનું માનવું છે કે પીએફ સબ્સક્રાઇબરના જોડાવવાથી રોજગારીનો સાચો આંકડો નહીં મળે.
આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતાં બેરોજગારીમાં વધારો અને રોજગારી પેદા કરવામાં સરકારની નિષ્ફળતા મોટો મુદ્દો છે. ભારતમાં 50 કરોડ લોકો પાસે રોજગારી છે જેમાંથી 10 ટકા લોકો ઓર્ગેનાઇઝ્ડ સેક્ટર સાથે જોડાયેલા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.