ભારતમાં કોરોનાના કેસોમાં પ્રતિદિવસ આંશિક રીતે ઘટાડો વધારો નોંધાતો રહે છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં પાછલા 24 કલાકમાં 11,850 નવા કેસ નોંધાય છે.
ભારતમાં પાછલા 24 કલાકમાં 555 લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડ્યો છે. આમ કોરોનાના કેસો ઘટાડો તો નોંધાઇ રહ્યો છે પરંતુ મૃત્યુના આંકડામાં પ્રતિદિવસનો વધારો-ઘટાડામાં ખુબ જ મોટો તફાવત આવી રહ્યો છે જે ચિંતામાં વધારો કરનાર છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર નવા કેસો સાથે ભારતમાં 1,36,308 સક્રિય કેસ છે. જે પાછલા 274 દિવસમાં સૌથી ઓછા છે.
ઉલ્લેખનિય છે કે, જર્મની, ફ્રાંસ અને બ્રિટન સહિતના યૂરોપમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. તેવામાં ભારતમાં પણ કોરોના સંક્રમણમાં ધીમા પગલે વધારો ચિંતાજનક બન્યો છે.
COVID19 | India reports 11,850 new cases and 555 deaths in the last 24 hours; Active caseload stands at 1,36,308; lowest in 274 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/Zhp1X5odt8
— ANI (@ANI) November 13, 2021
ગઈકાલની વાત કરીએ તો કોરોના 12,516 કેસ નોંધાયા હતા અને 500 લોકોના મોત થયા હતા. જ્યારે આજે 555 લોકોના મોત થયા છે. આમ ગઈ કાલ કરતાં આજે 50 વધારે લોકોના મોત થયા છે. આમ કોરોનાના કારણે પ્રતિદિવસ મૃત્યુના આંકડામાં થતાં મોટા ફેરફારે ચિંતામાં વધારો કર્યો છે. તેથી કોરોના પ્રોટોકલને નજર અંદાજ કરવો ભારે પડી શકે છે.
ભારતમાં હાલમાં 1.36 લાખ કોરોનાના સક્રિય કેસ છે. કોરોના મહામારી શરુ થઇ ત્યારથી માંડીને અત્યાર સુધી 3.44 કરોડ લોકો ભોગ બન્યા છે જેમાંથી 4.62 લાખથી વધુ લોકોના મોત થયા છે.