નવી દિલ્હી: દેશમાં કોરોના (Coronavirus)ના કેસો ધીમે-ધીમે ઓછા થઈ રહ્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 8,865 નવા કેસ સામે આવ્યા છે કે પાછલા 287 દિવસોમાં સૌથી ઓછા કેસ છે. જ્યારે એક દિવસમાં 197 લોકોના મોત થયા છે.
રિક્વરી રેટ 98.27 ટકા છે જે પાછલા માર્ચ 2020માં સૌથી વધારે છે. જ્યારે કોરોનાના સક્રિય કેસોની વાત કરીએ તો 1,30,793 છે જે પાછલા 525 દિવસોમાં સૌથી ઓછા છે. પાછલા 24 કલાકમાં કોરોનાથી 11,971 લોકો ઠિક થઈ ગયા છે, અત્યાર સુધી કોરોનાથી કુલ 3, 38,61,756 લોકો ઠિક થઈ ચૂક્યા છે.
ડેળી પોઝિટિવિટી રેટ 0.80 ટકા છે, જે પાછલા 43 દિવસથી 2 ટકા નીચે છે. વીક્લી પોઝિવિટિ રેટ 0.97 ટકા છે જે પાછલા 53 દિવસથી 2 ટકા નીચે છે. પાછલા 24 કલાકમાં 59,75,469 વેક્સિનેશન થયું. અત્યાર સુધી કુલ 1,12,97,84,045 વેક્સિનેશન થઈ ચૂક્યું છે.